અમેરિકામાં વંશવાદની વાસ્તવિકતા

અમેરિકામાં વંશવાદની વાસ્તવિકતા

આર્થિક, સામાજિક વિકાસ અને શિક્ષણ છતાં માણસના મનમાં વંશીય ભેદભાવની લાગણી અકબંધ રહે છે. આવી વિચારસરણી ન હોવાનો દાવો કરતા શ્વેત લોકોમાં આ લાગણી વધુ છે. એક સંશોધનમાં આ વાત પુરવાર થઇ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને ટફ્ટ્સ યુનિવર્સિટીએ વંશીય લાગણી અંગે 60,000 લોકો પર 13 પ્રયોગો કર્યા હતા. જેમાં સામેલ 90% લોકોએ સ્વીકાર્યું કે ગોરો હોય કે અશ્વેત બધા માણસો છે.

જો કે અમેરિકા અને અન્ય દેશોના શ્વેત લોકોએ માણસ શબ્દનો અર્થ અન્ય જૂથોના લોકોની સરખામણીમાં માત્ર તેમના પોતાના જૂથ (ગોરાઓ) માટે જ કર્યો છે. તેનાથી વિપરિત, બ્લેક, એશિયન અને હિસ્પેનિક સહભાગીઓએ આવો કોઈ પૂર્વગ્રહ દર્શાવ્યો નથી. રિપોર્ટના મુખ્ય લેખક કર્સ્ટન મોરેહાઉસે કહ્યું, ‘સૌથી મોટી જાણકારી તો એ છે કે જે લાગણીઓ સદીઓથી આપણી આસપાસ રહી છે, આપણે હજુ પણ તેમાં એક નવી રીતે જોડાયેલા છીએ.’ રિસર્ચમાં ઇમ્પ્લિસિટ એસોસિયેશન ટેસ્ટ (આઈએટી)નો સહારો લેવામાં આવ્યો છે.

આ પરીક્ષણે એવું વલણ દર્શાવ્યું છે કે જેને લોકો સાર્વજનિક કરવા માંગતા નથી. તમામ પ્રયોગો દરમિયાન 61% શ્વેત સહભાગીઓએ અશ્વેત લોકોને પ્રાણીઓ સાથે જ્યારે શ્વેત લોકોને માણસો સાથે સાંકળ્યા છે. તો બીજી તરફ 69 ટકા લોકોએ શ્વેત લોકોને માણસ સાથે સાંકળ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow