દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે

દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે

બેન્કોમાંથી લોનની માંગ 9 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી છે. પરંતુ ડિપોઝિટમાં નિરુત્સાહી ટ્રેન્ડ છે. જેને કારણે બેન્કો પાસે ફંડ સતત ઘટી રહ્યું છે. જેને કારણે ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો થાય તે ચોક્કસ છે. આગામી એક વર્ષમાં ડિપોઝિટ રેટ્સ 1.75-2.25% સુધી વધે તેવી શક્યતા છે.

ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 26 ઓગસ્ટ સુધી બેન્કોએ 5.66 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે. જે છેલ્લા નાણાકીય વર્ષના 26 ઓગસ્ટ સુધી વિતરિત કરાયેલી લોનથી 4.8 ટકા વધુ છે.

ગત વર્ષે ઓગસ્ટમાં આ મામલે 0.5%નો ઘટાડો થયો છે. તે ઉપરાંત, આ કેલેન્ડર વર્ષ 2021માં 26 ઓગસ્ટ સુધી અપાયેલી લોનથી 15.5% વધુ છે. તે 1 નવેમ્બર, 2013 પછીનો લોનનો સૌથી ઉચ્ચ આંકડો છે. નવેમ્બર 2013માં લોન ગ્રોથ 16.1% હતો.

બીજી તરફ 2022માં 26 ઓગસ્ટ સુધી ડિપોઝિટમાં 9.5 ટકા વધારો થયો છે. જે તેની ત્રણ વર્ષની સરેરાશ કરતા 13 ટકા ઓછી છે. બેન્કિંગ સિસ્ટમમાં તેજીથી રોકડ ઘટી રહી છે અને લોકો બેન્કોમાં બચત કરવાનું ટાળી રહ્યાં છે, જેને કારણે બેન્કોની લોન ડ્રિસ્ટીબ્યૂશન પ્રોસેસને અસર થઇ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow