કાશ્મીરમાં પહાડીઓને એસટી દરજ્જાના પ્રસ્તાવથી ગુર્જરો નારાજ થયા

કાશ્મીરમાં પહાડીઓને એસટી દરજ્જાના પ્રસ્તાવથી ગુર્જરો નારાજ થયા

જમ્મુ અને કાશ્મીરમાં પહાડી, ગડ્ડા બ્રાહ્મણ, પડદારી આદિવાસીઓ અને કોળી સમુદાયોને એસસીમાં સામેલ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો છે. ગુર્જર-બકરવાલ સમુદાયનો વિરોધ હવે જમ્મુ, પૂંછ, રાજૌરી, શ્રીનગર, કુપવાડા અને અન્ય જિલ્લાઓ સાથે ઉત્તરપ્રદેશ સુધી પહોંચ્યો છે. ગુર્જર-બકરવાલ સમુદાયનો આરોપ છે કે કેન્દ્ર સરકાર શ્રીમંત, ઉચ્ચ જાતિના હિન્દુઓ, મુસ્લિમો અને શીખોને અનુસૂચિત જાતિ (એસટી)માં સામેલ કરીને તેમના લાભોને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વધુ મત મેળવવા માટે ભાગલા પાડવાનું ષડ્યંત્ર છે.

ગુર્જર નેતા અને ઓલ રિઝર્વ્ડ કેટેગરીઝ જોઈન્ટ એક્શન કમિટી (એઆરસીજેએસી)ના ફાઉન્ડર મેમ્બર તાલિબ હુસૈને જણાવ્યું હતું કે આદિવાસી દરજ્જો એવા લોકોને આપી શકાય છે જેઓ વંશીય રીતે અલગ અથવા આર્થિક રીતે પછાત હોય. જોકે પહાડી આ વસ્તુમાં નથી. તેઓ વિવિધ જાતિ અને ધર્મ ધરાવે છે. પહાડીઓમાં સૈયદ, બુખારી જેવા ઉચ્ચ જાતિના મુસ્લિમો અને બ્રાહ્મણો, રાજપૂતો, મહાજન જેવા હિન્દુઓનો સમાવેશ થાય છે. તેઓ શાસક વર્ગ અને સમૃદ્ધ પરિવારના છે. હાલમાં આદિવાસી જાતિઓમાં ગુર્જર, બકરવાલ, શિના, ગદ્દી અને સ્પિટિસનો સમાવેશ થાય છે. જો STમાં નવું જાતિ બિલ પસાર થશે તો વધુ સમુદાયો STમાં આવવાનો દાવો કરશે. જો પૂંછના બુખારીઓને આદિવાસીઓમાં સામેલ કરવામાં આવે તો શ્રીનગરના બુખારીઓ પણ આદિવાસીઓ હોવાનો દાવો કરી શકે છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ સમુદાયને ભાષાના આધારે એસટીનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow