બેલારુસના રાષ્ટ્રપતિએ કહ્યું- પુતિન પ્રિગોઝિનને મારી નાંખવા માંગતા હતા

બેલારુસના રાષ્ટ્રપતિએ કહ્યું- પુતિન પ્રિગોઝિનને મારી નાંખવા માંગતા હતા

બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ બુધવારે મોડી સાંજે રશિયાની ખાનગી સેના વેગનરના વિદ્રોહ અને સમાધાન બાદ પત્રકાર પરિષદ યોજી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તેમણે કહ્યું કે જ્યારે વેગનરનો વિદ્રોહ ચરમસીમા પર હતો, ત્યારે પુતિને તેમને પ્રિગોઝિનની હત્યા કરવાનું પણ કહ્યું હતું. જો કે, લુકાશેન્કોએ પુતિનને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવાનું કહ્યું, પછી સમજૂતી થઈ હતી.

ફોન કોલ દરમિયાન, લુકાશેન્કોએ સંઘર્ષને બદલે શાંતિ માટે પ્રયાસ કરવાની અપીલ કરી. આ તરફ વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિન 27 જૂને બેલારુસ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ તેની પુષ્ટિ કરી છે. રશિયાએ પણ પ્રિગોઝિન સામેના તમામ કેસ સમાપ્ત કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ ડીલ હેઠળ વેગનર ગ્રુપના મોટા હથિયારો અને હાર્ડવેરને પરત ખેંચવાની તૈયારી ચાલી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow