IPL-16ની પ્લેઓફ મેચ ચેન્નાઈ-અમદાવાદમાં યોજાશે

IPL-16ની પ્લેઓફ મેચ ચેન્નાઈ-અમદાવાદમાં યોજાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની પ્લેઓફ મેચની તારીખો અને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. IPLએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ જાણકારી આપી છે. ચેન્નાઈ અને અમદાવાદમાં ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ સહિત કુલ 4 મેચ રમાશે. બન્ને શહેરોને 2-2 મેચ આપવામાં આવી છે.

23 મેથી પ્લેઓફ મેચ યોજાશે
IPLમાં કુલ 4 પ્લેઓફ મેચ હોય છે. પોઇન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમ વચ્ચે ક્વોલિફાયર-1, ત્રીજા અને ચોથા નંબરની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. ક્વોલિફાયર-1 જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે અને હારનાર ટીમ ક્વોલિફાયર-2 રમશે. જે ટીમ એલિમિનેટર જીતશે તે ક્વોલિફાયર-2માં આગળ વધશે. ક્વોલિફાયર-2 જીતનારી ટીમ ફાઈનલમાં ક્વોલિફાયર-1ના વિજેતા સાથે રમે છે.

IPLના નવા શિડ્યૂલ મુજબ ક્વોલિફાયર-1 ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 23 મેના રોજ અને એલિમિનેટર 24 મેના રોજ ચેન્નાઈમાં જ યોજાશે. ક્વોલિફાયર-2 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ગત વખતની જેમ IPLના લીગ તબક્કામાં પણ 10 ટીમ ભાગ લઈ રહી છે. 31 માર્ચથી શરૂ થયેલી લીગ તબક્કાની મેચ 21 મે (રવિવાર) સુધી ચાલશે. લીગ તબક્કાની છેલ્લી 2 મેચ 21મીએ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 69મી મેચ અને લીગ સ્ટેજની 70મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

લીગ સ્ટેજ પૂરી થયા પછી પોઇન્ટ્સ ટેબલની ટોપ-4 ટીમ નક્કી થશે. આ 4 ટીમ લીગ તબક્કાના 2 દિવસ બાદ યોજાનારી પ્લેઓફ મેચમાં ભાગ લેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow