ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 18-19% રહેવાનો અંદાજ

ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 18-19% રહેવાનો અંદાજ

દેશમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ રેવેન્યૂમાં આંશિક વૃદ્ધિને કારણે ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જીન 270 બેસિસ પોઇન્ટ (bps) ઘટીને 18-19 ટકાની આસપાસ રહ્યું હોવાની ધારણા છે. જો કે છેલ્લા 6 ક્વાર્ટરમાં પહેલીવાર ઓપરેટિંગ માર્જીનમાં ક્રમિક રીતે વધારો જોવા મળશે તેવું ક્રિસિલે જણાવ્યું હતું.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ નબળી વૈશ્વિક માંગને કારણે વાર્ષિક સ્તરે રેવેન્યુમાં 14 ટકાના વધારા સાથે તે રૂ.10.9 લાખ કરોડને આંબશે. કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેગમેન્ટ તેમજ કેટલીક પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારાને કારણે વોલ્યુમમાં સ્થિર વૃદ્ધિને પગલે આવક વધશે. ક્રમિક રીતે, રેવેન્યૂ ગ્રોથમાં 0.9 ટકાનો ઘટાડો જ્યારે નફાકારકતા ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 140 બેસિસ પોઇન્ટ વધી છે.

વૈશ્વિક સ્તરે કોમોડિટીની ઘટતી કિંમતના ટ્રેન્ડને પરિણામે છેલ્લા બે ક્વાર્ટરની તુલનામાં આ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં 270 બેસિસ પોઇન્ટનો ઘટાડો રહેશે. સતત પાંચમાં ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં ઘટાડાનો ટ્રેન્ડ રહેશે. ક્રમિક રીતે છેલ્લા છ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં 18-19 ટકા સુધીનો વધારો થયા હોવાનો અંદાજ છે જે બીજા ક્વાર્ટર દરમિયાન 17.2 ટકા નોંધાયો હતો.

300 કંપનીઓના તારણ અનુસાર પહેલા ક્વાર્ટર દરમિયાન માર્જીન 23.7 ટકાના સ્તરે રહ્યા બાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્લોડાઉનથી જ્વેલરી નિકાસમાં ઘટાડો થશે
ભારત માટે બે સૌથી મહત્વપૂર્ણ વિદેશી માર્કેટ એવા યુએસ તેમજ યુરોપમાં સ્લોડાઉનને કારણે BPO સેવામાં ઘટાડો થશે તેમજ ત્યાંના ગ્રાહકો ખર્ચ ઘટાડશે જેને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસમાં ઘટાડો થશે. પેસેન્જર ટ્રાફિક અને ટિકિટની કિંમતોમાં વધારાને કારણે એરલાઇન્સની આવકમાં વાર્ષિક સ્તરે 41% સુધીનો વધારો જોવા મળે તેવો અંદાજ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow