એકમાત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ સંભળાવેલો છે, ગીતાના સૂત્ર જીવન જીવવાની કળા શીખવે છે

એકમાત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ સંભળાવેલો છે, ગીતાના સૂત્ર જીવન જીવવાની કળા શીખવે છે

શનિવાર, 3 ડિસેમ્બરે ગીતા જયંતી છે. આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે થોડાં પંચાંગોમાં રવિવારે પણ એકાદશી તિથિ હોવાનું જણાવવામાં આવ્યું છે. અનેક પૌરાણિક ગ્રંથ છે અને તેની રચના મનુષ્યોએ જ કરી છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંભળાવ્યો છે. શ્રીકૃષ્ણના મુખથી પ્રકટ થવાના લીધે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ સૌથી વધારે છે. આ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવવામાં આવે છે.

માગશર સુદ એકાદશીએ શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો
મહાભારત યુદ્ધની શરૂઆતમાં માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણે આ ગ્રંથમાં કોઈપણ જગ્યાએ શ્રીકૃષ્ણ ઉવાચ લખવામાં આવ્યું નથી, દરેક જગ્યાએ શ્રી ભગવાન ઉવાચ લખવામાં આવ્યું છે. તેનો અર્થ એવો છે કે શ્રી ભગવાન કહે છે. ગીતા જયંતીની તિથિને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે.

બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર ગીતા ગ્રંથ છે
પં. શર્મા કહે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર છે. આ ગ્રંથનો પાઠ કરવાથી અને તેમાં જણાવેલાં સૂત્રોને જીવનમાં ઉતારવાથી આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગ્રંથોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન માર્ગ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથના 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણના ઉપદેશ છે. આ ઉપદેશથી આપણી બધી જ શંકાઓ દૂર થાય છે અને આપણને જીવનમાં સફળતા સાથે જ સુખ-શાંતિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.

ગીતા જીવન જીવવાની કથા શીખવે છે
ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ગીતાનો મૂળમંત્ર એ છે કે આપણે દરેક સ્થિતિમાં કર્મ કરતા રહેવાનું છે. ક્યારેય નિષ્કામ ન રહીએ, કેમ કે કર્મ ન કરવું પણ એક કર્મ જ છે અને આપણને તેનું ફળ પણ ચોક્કસ મળે છે.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow