અમેરિકામાં પોતાને ઇજા પહોંચાડીને હૉસ્પિટલ જનારા કિશોરોની સંખ્યામાં 11 વર્ષમાં 163%નો વધારો થયો

અમેરિકામાં પોતાને ઇજા પહોંચાડીને હૉસ્પિટલ જનારા કિશોરોની સંખ્યામાં 11 વર્ષમાં 163%નો વધારો થયો

અમેરિકામાં સ્યુસાઇડલ બિહેવિયરને કારણે પોતાને નુકસાન પહોંચાડતા કિશોરોની સંખ્યા ઝડપી વધી રહી છે. છેલ્લાં 11 વર્ષમાં આવાં બાળકો તેમજ કિશોરોની સંખ્યા વધીને 163% સુધી પહોંચી ચૂકી છે. તેમાં મોટા ભાગનાં બાળકો 11થી 14 વર્ષના છે. ડાર્ટમાઉથ કૉલેજના સંશોધકોએ 47 લાખ 68 હજાર બાળકો અને કિશોરો પરના ડેટાનું સંશોધન કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, 2009 અને 2019ની વચ્ચે, મેન્ટલ હોસ્પિટલોમાં 25.8% બાળકો ભરતી થયાં હતાં અને તેમની સારવાર પાછળ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે.

2009માં હોસ્પિટલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા અથવા પોતાને નુકસાન પહોંચાડીને પોતાનો ઇલાજ કરાવનારાં બાળકો અથવા કિશોરોની સંખ્યા 30.7% હતી. આ સંખ્યા 2019 સુધીમાં વધીને 64.2% એટલે કે બમણાથી વધુ વધી છે. તદુપરાંત આત્મઘાતી પ્રયાસો કરનારાં બાળકોની ટકાવારી 2009ના 3.5%થી વધીને 2019માં 12.7% થઇ ચૂકી છે.

સ્ટોની બ્રુક યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાં બાળ અને કિશોર મનોચિકિત્સાના ડાયરેક્ટર ડૉ. ગ્રેબિયલ એ.નું કહેવું છે કે અમેરિકન યુવાઓના આત્મઘાતી વ્યવહારમાં વધારો એ કોઇ નવી બાબત નથી. પરંતુ આ રિસર્ચ હેલ્થ સિસ્ટમની સમસ્યાને દર્શાવે છે. બાળકોની સારવાર માટે વાલીઓએ દરેક સ્તર પર અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow