Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

અમેરિકા મંદિરોની સંખ્યા 20 વર્ષમાં 435થી વધીને એક હજારથી વધુ થઈ

Gujaratnow1 min read
અમેરિકા મંદિરોની સંખ્યા 20 વર્ષમાં 435થી વધીને એક હજારથી વધુ થઈ

અમેરિકામાં હિંદુ સમુદાયનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકામાં હિંદુઓની વસતી બમણી થઈને આશરે 22 લાખ થઈ ગઈ છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે 2025 સુધીમાં હિંદુઓની વસતી 28 લાખ થઈ જશે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્લુરલિઝમ પ્રોજેક્ટના જણાવ્યા મુજબ 20 વર્ષ પહેલા અમેરિકામાં 435 મંદિર હતા. આ સંખ્યા વધીને 1 હજાર થઈ ગઈ છે. અમેરિકામાં હિંદુઓની સંખ્યામાં વધારો થતા મંદિરોની સંખ્યા પણ વધી છે. એટલું જ નહીં હિંદુ ધર્મ અને સંસ્કૃતનો પણ ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. વોશિંગ્ટન ડીસીના રાજધાની મંદિરના મુખ્ય પૂજારી પંડિત રામસ્નેહ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 5 વર્ષમાં તેમની સ્કૂલોમાં ભણતા બાળકોની સંખ્યામાં 200 ટકાનો વધારો થયો છે. દર સપ્તાહે સરેરાશ 600 બાળકો હિંદુ ધર્મના વર્ગમાં પ્રવેશ મેળવે છે. જે વિક્રમી સંખ્યા છે.

હિંદુ ધર્મ અને સંસ્કૃતિના વધતા પ્રભાવને જોતા અમેરિકાના વિવિધ શહેરોમાં સમર સ્કૂલ શરૂ કરવામાં આવી છે. અમેરિકામાં 31 ઇસ્કોન મંદિરોની સ્કૂલોમાં આશરે 20 હજાર બાળકો વીકએન્ડના વર્ગોમાં સામેલ થાય છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં લગભગ 48 ટકા હિંદુ ધાર્મિક સંસ્થાઓમાં નિયમિત ફાળો આપે છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર ધાર્મિક સંસ્થાઓ માટે ફાળો આપનારાઓમાં હિંદુઓ મોખરે છે. તેઓ સરેરાશ આશરે 16 હજાર રૂપિયા દાન આપે છે.

Gujaratnow1 min read

Related News