30 સપ્ટેમ્બર સુધી નોટ બેંકોમાં બદલાવી કે જમા કરાવી શકાશે

30 સપ્ટેમ્બર સુધી નોટ બેંકોમાં બદલાવી કે જમા કરાવી શકાશે

દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 3 દિવસ પહેલાં 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.

RBIની સમયમર્યાદા પછી પણ 2000ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. ડેડલાઈન માત્ર લોકોને પ્રોત્સાહિત કરવા માટે છે, જેથી તેઓ આ નોટો જલદીથી બેંકોમાં પરત કરે.

નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી
RBI અને SBIની ગાઈડલાઈન મુજબ, નોટો બદલવા માટે કોઈ IDની જરૂર નથી અને કોઈ ફોર્મ ભરવાનું નથી. એક સમયે 20,000 રૂપિયાની માત્ર 10 નોટો જ બદલી શકાશે, પરંતુ આ નોટો ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી. બેંકો 2000ની નોટ નહીં આપે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow