30 સપ્ટેમ્બર સુધી નોટ બેંકોમાં બદલાવી કે જમા કરાવી શકાશે

30 સપ્ટેમ્બર સુધી નોટ બેંકોમાં બદલાવી કે જમા કરાવી શકાશે

દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 3 દિવસ પહેલાં 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.

RBIની સમયમર્યાદા પછી પણ 2000ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. ડેડલાઈન માત્ર લોકોને પ્રોત્સાહિત કરવા માટે છે, જેથી તેઓ આ નોટો જલદીથી બેંકોમાં પરત કરે.

નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી
RBI અને SBIની ગાઈડલાઈન મુજબ, નોટો બદલવા માટે કોઈ IDની જરૂર નથી અને કોઈ ફોર્મ ભરવાનું નથી. એક સમયે 20,000 રૂપિયાની માત્ર 10 નોટો જ બદલી શકાશે, પરંતુ આ નોટો ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી. બેંકો 2000ની નોટ નહીં આપે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow