રાજકોટમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પાસે ચોરીની શંકાએ ચોટીલાના યુવાનનું અપહરણ કરાયા બાદ તેની હત્યા કરવામાં આવી છે. ત્યારે આટકોટ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં પોલીસે પેટ્રોલ પંપ અને હોટલ સંચાલક સહિત 7 શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા દડવા પાસે યુવાનની લાશ મળી
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટના મોટા દડવા પાસે અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી હતી. મૃતક યુવાન મયંક સુરેશભાઇ કુબાવત (ઉ.વ.30) રહે. મુળ ભાડલા, હાલ થાન રોડ, ચોટીલા વાળાની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા મૃતક યુવાન મયંક કુબાવતને ચોરીની શંકાએ હોટલ સંચાલક અક્ષય મનાભાઇ અમર તથા પેટ્રોલ પંપ સંચાલક જયરાજ પ્રભાતભાઇ રાઠોડ અને તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું હતું.

પોલીસે હાલ હોટલ સંચાલક અક્ષય મનાભાઇ અમર તથા પેટ્રોલ પંપ સંચાલક જયરાજ પ્રભાતભાઇ રાઠોડ અને તેના સાગ્રીતો નવઘણ પુંજાભાઇ ઓડેદરા, દિલીપ માલદેભાઇ ખુંટી, દિવ્‍યેશ બીપીનભાઇ અજાણી, ચેતન ધનસુખભાઇ ધ્રાણા, ભાવેશ પ્રભાતભાઇ રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણ અને હત્‍યામાં વપરાયેલ બાઇક, લાકડાના ધોકા, પાઇપ, મીલરનો બેલ્‍ટ કબ્‍જે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow