ચેક બા‌ઉન્સ થતાં અન્ય ખાતામાંથી નાણાં કપાશે

ચેક બા‌ઉન્સ થતાં અન્ય ખાતામાંથી નાણાં કપાશે

નજીકના ભવિષ્યમાં ચેક બાઉન્સ થશે તો ખાતેદારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે.

નાણા મંત્રાલય ચેક બાઉન્સના કેસમાં ખાતેદારના અન્ય ખાતામાંથી નાણા કાપી લેવા તથા આવા પ્રકારની ઘટનાઓમાં ખાતેદાર પર નવું ખાતુ ખોલવા પર રોક મુકવા જેવા પગલાં ભરવા વિચારણા કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રકારના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

ચેક બાઉન્સના કેસોને કારણે કાયદાની વ્યવસ્થા પર અસહ્ય ભારણ વધ્યું છે. તેથી નવા સૂચનો સરકાર સમક્ષ રજૂ થયા છે. જે અનુસાર ચેક ઇસ્યુ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ના હોય તો તેના અન્ય ખાતામાંથી રકમ કાપી લેવામાં આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોનના હપ્તા ચૂકી જવાના કેસ તરીકે લેવા તથા તેની જાણકારી ધિરાણ આપતી કંપનીઓને આપવા જેવા સૂચનો સામેલ છે.

તેના દ્વારા જેનો ચેક બાઉન્સ થયો હોય તેનો સ્કોર ઓછો કરી શકાય. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સૂચનોનો સ્વીકાર કરતા પહેલા કાયદાકીય પરામર્શ કરવામાં આવશે. સરકારનો આશય કોર્ટમાં ચેક બાઉન્સના કેસો ઘટાડવાનો છે. સાથે જ ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક ઇસ્યુ કરવાની માનસિકતા પર અંકુશ મેળવવાનો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow