રાજસ્થાનનો મીર પરિવાર ગામડે ગામડે ફરી ગાય છે માતાજીના ગરબા

રાજસ્થાનનો મીર પરિવાર ગામડે ગામડે ફરી ગાય છે માતાજીના ગરબા

રાજસ્થાનનો મુસ્લિમ પરિવાર પોતાની કલા મારફત રોજીરોટી રળવા સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી રહ્યો છે. ચાર સભ્યોનો આ મીર પરિવાર અમરેલી જિલ્લાના ગામડાઓમા ફરે છે અને માતાજીના ગરબા, સ્તુતિ અને વિર રસના ગીતો લલકારી પોતાની કલાના કામણ પાથરે છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખોબા જેવડા તીલવાડા ગામનો રહેવાસી આ મુસ્લિમ પરિવાર આર્થિક રીતે પછાત છે. મીર પરિવારના ચાર ભાઇઓ કલાકાર જીવ છે અને હાલમા સૌરાષ્ટ્રમા ગામડે ગામડે ફરી રહ્યાં છે. ગઇકાલે તેમણે સાવરકુંડલામા સનરાઇઝ સ્કુલની મુલાકાત લઇ મહેમાન ગતિ માણી હતી. કાઠીયાવાડી વાનગીનો સ્વાદ માણ્યો હતો અને રાજસ્થાની રસોઇ પણ ચખાડી હતી. આ મુસ્લિમ ભાઇઓ માતાજીના ગરબા અને સ્તુતિ આસ્થાથી ગાય છે.

અમારો આખો પરિવાર માતાજીના ગરબા ગાઇ
સૌથી મોટાભાઇ નિઝામખાન મીર જણાવે છે અમારો આખો પરિવાર માતાજીના ગરબા ગાઇએ છીએ એટલે પરિવારના એકપણ સભ્ય માંસ, મદીરા કે મચ્છીને કયારેય હાથ પણ અડાડતા નથી. તેમના એક ભાઇ શૌકતખાન મીર ઢોલક, સુમારખાન મીર હાર્મોનિયમ અને શાહરૂખખાન મીર રાજસ્થાની કરતાલ પર હાથ આપે છે. તેમને ગાતા સાંભળવા એ પણ એક લ્હાવો છે. વળી આ પરિવારમા દેશભાવના પણ ઠાંસોઠાંસ ભરેલી છે.

પાકિસ્તાનને લલકારતા ગીતોની જમાવટ
મીર પરિવાર દેશ પ્રેમના ગીતો ગાવા ઉપરાંત પાકિસ્તાનને લલકારી વીર રસથી ભરપુર ગીતો પણ રજુ કરે છે. એટલુ જ નહી વીર યોધ્ધા મહારાણા પ્રતાપની વીરતાની અદભુત વાતો પણ રજુ કરે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow