ખેડૂતોએ બાંધેલો મેથળા બંધારો ઓવરફ્લો

ખેડૂતોએ બાંધેલો મેથળા બંધારો ઓવરફ્લો

મહુવા અને તળાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જાત મહેનત જિંદાબાદ અને સરકાર પર આધાર રાખવાને બદલે અપના હાથ જગન્નાથના સૂત્રને સાકાર કરીને બનાવેલો મેથળા બંધારો આ વખતે અષાઢ માસમાં ધોધમાર વરસાદથી ઓવરફ્લો થઇ ગયો છે. બગડ નદી ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો થતા આજુબાજુના વિસ્તારમાં હવે સારૂ કૃષિ ઉત્પાદન થશે.

ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો
અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા-તળાજા તાલુકાનાં ખેડૂતોના પરસેવાથી બનેલા મેથળા બંધારાથી 40 ગામોમાં પીવાનું પાણી લેવા માટે બહેન-દિકરીઓને 4થી5 કિમી જેટલું ચાલીને ધોમધખતા તાપમાં જવું પડતું હતુ આ બંધારાથી અટક્યું છે અને છેવાડાના ગામડાનો ખેડૂત પોતાના સ્વબળે અને પોતાની તાકાતથી શું કરી શકે એ એક ગ્રામ્ય એકતાનું ઉદાહરણ છે. મેથળા બંધારો એ લોકફાળો ઉઘરાવીને નાના ખેડૂતોથી લઈને ખેતમજૂરો અને દાડીયાઓની મહેનતનું પ્રતિક છે.

750 એફ.ટી.એમ. મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય
​​​​​​​સરકારે જેનું એસ્ટિમેટ એંસી કરોડ રૂપિયા જેવું મોટું કરીને વર્ષો સુધી જે યોજનાને માત્ર કાગળ પર જ રાખી તેને છેવાડાના ગામડાનાં ખેડૂતો અને ખેતમજૂરોએ બંધારાને સાકાર કર્યો એ અનુકરણીય છે.​​​​​​​ મેથળા બંધારો લોકોએ જાતમહેનત અને લોક ફાળથી બનાવી લોકોએ મીઠા પાણીનો સંગ્રહ થાય તેવું મોટું સરોવર બનાવેલ છે તેમા 750 એફ.ટી.એમ.સૌથી વધારે મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow