ભચાઉના સામખીયાળી ધોરમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો

ભચાઉના સામખીયાળી ધોરમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો

ભચાઉ તાલુકાના સામખીયાળી નજીક મોરબી ધોરીમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં રાજકોટ આયકર વિભાગ દ્વારા આજ મંગળવારના વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું છે. અમદાવાદ સાથે કચ્છમાં આવેલા એકજ સમૂહના એકમો પર આઇટી તંત્ર ત્રાટક્યું છે, જ્યાં મોટાપાયે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.

કંપનીના જવાબદારનો IT દરોડા અંગે ઇન્કાર
કચ્છના સામખીયાળી નજીક આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈ.ટી. વિભાગના દરોડા અંગે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ જિલ્લા બહારના આયકર વિભાગ તરફથી આ રેડ પાડવામાં આવી છે. જેમાં કંપની સંકુલ ખાતે આજે વહેલી સવારથી IT વિભાગ દ્વારા આધાર પુરાવાની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે હક સ્ટીલ કંપનીના સદાબ ઈરાકી સાથે વાત કરતા તેમણે રેડ પડી હોવાનો ઇન્કાર કર્યો હતો.કચ્છ આયકર વિભાગ પણ આ દરોડા વિશે બેખર હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રના રોજગારલક્ષી યોજના હેઠળ બંધ પડેલા ઉધોગોમાં પુનઃ ગતિ લાવવાના ભાગરૂપે શરૂ થયેલી કંપનીમાં આયકર દરોડાની ચર્ચાથી સ્થાનિક ઉધોગ જગતમાં ચકચાર પ્રસરી જવા પામી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow