RBIના ગવર્નર સભ્યોની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો

RBIના ગવર્નર સભ્યોની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો

RBI બેન્કોમાં શ્રેષ્ઠ વહીવટીતંત્ર પર ભાર મૂકી રહી છે, પરંતુ કુલ 11 સરકારી બેન્કોમાંથી 6માં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ ખાલી છે. તેમાંથી કેટલીક બેન્કોમાં 2 વર્ષથી વધુ સમયથી ચેરમેન નથી. યુકો બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, બેન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઇન્ડિયન બેન્ક અને બેન્ક ઑફ ઇન્ડિયા તેમાં સામેલ છે.

યુકો બેન્ક અને બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં 2015માં ચેરમેન અને એમડી પદ અલગ કરાયા બાદથી પાર્ટ ટાઇમ ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. મોટા ભાગની સરકારી બેન્કોમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની સંખ્યા પણ પર્યાપ્ત નથી. મોટા ભાગની બેન્કોમાં બોર્ડના સભ્યોમાં એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામેલ છે. કેટલીક બેન્કોમાં 3 અથવા 4 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા નિમણૂક કરાયેલા ડાયરેક્ટર્સ, શેરહોલ્ડ ડાયરેક્ટર છે. સરકારી બેન્કોમાં ચેરમેન પદ ખાલી હોવાનો મુદ્દો રિઝર્વ બેન્કના ગવર્નરની સાથે જ સરકારી બેન્કોના બોર્ડના સભ્યોની સાથે થયેલી બેઠકમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.

વૈશ્વિક અનિશ્ચિતત્તા અને વધી રહેલા વ્યાજદરોના કારણે બેન્કિંગ સંકટ સર્જાયું છે પરંતુ ભારતીય મોટાભાગની બેન્કોના નફામાં વૃદ્ધિ નોંધાઇ છે. માર્ચ અંતના રોજ પૂરા થતા નાણાવર્ષ અને ત્રિમાસીક ગાળા દરમિયાન મોટાભાગની બેન્કોના નફામાં સરેરાશ 20-50 ટકા સુધી વધારો થયો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow