સવારે નાસ્તો ન કરવાની આદતથી બની શકો છો આ 4 બિમારીઓના શિકાર

સવારે નાસ્તો ન કરવાની આદતથી બની શકો છો આ 4 બિમારીઓના શિકાર

આજના આ ભાગદોડવાળા જીવનમાં લોકો નાસ્તો કરવાનું છોડી દે છે. આ આદતથી તમને એક દિવસ માટે નહી પણ આજીવન માટે નુકસાન થઈ શકે છે. કારણકે નાસ્તો આપણા શરીરમાં એનર્જિ બુસ્ટરનું કામ કરે છે. નાસ્તો ખાલી આપણા શરીરને જ નહી પરંતુ મગજને પણ કામ કરવાની શક્તિ આપે છે. સવારે નાસ્તો ના કરવાની આદત તમને બિમાર કરી શકે છે. ચાલો જાણીએ નાસ્તો ના કરવાથી થતી બિમારીઓ વિશે.

1. ડાયાબિટીસ- Diabetes:
નાસ્તો ના કરવાથી ઇન્સ્યુલિન પ્રોડક્શનને નુકસાન પંહોચે છે. કારણકે આખી રાત દરમિયાન જયારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું શરીર શુગરનો ઉપયોગ કરે છે. જેથી આપણા શરીરમાં શુગર લેવલ ઓછું થઈ જાય છે. સમયસર નાસ્તો કરવાથી તેને બેલેન્સ થવામાં મદદ મળે છે અને ઇન્સ્યુલિન પ્રોડક્શનને વ્યવસ્થીત રાખે છે. લાંબા સમય સુધી નાસ્તો ના કરવાથી અથવા એક સાથે વધુ નાસ્તો કરવાથી તમારા શરીરનું ખરાબ શુગર મેટાબોલિસ્મ અને ડાયાબિટીસ વધી શકે છે.

2. તણાવને કારણે હોર્મોનમાં બદલાવ - Stress:
નાસ્તો કરવાથી કોટિૅસોલ હોર્મોન નથી વધતું પણ જ્યારે તમે નાસ્તો નથી કરતાં ત્યારે કોટિૅસોલ હોર્મોનનું લેવલ વધી જાય છે. એટલા માટે સવારે 7 વાગ્યામાં થોડું ખાવું જરૂરી છે જેથી તમારા હાર્મોન્સનું સ્તર નીચે રહે. કારણકે જ્યારે આનું સ્તર વધી જાય છે ત્યારે તમને ચિંતા અથવા ચીડયાપણું વધી જાય છે.

3. હાઇ બીપીની બીમારી - High BP:
નાસ્તો ના કરવાથી હાઇ બીપીની તકલીફ થઈ શકે છે. સવારે નાસ્તોના કરવાથી તમારું વજન અને એથરોસ્ક્લેરોસિસ તથા હાઇ બીપીની તકલીફ વધી શકે છે. તમારી આ દિનચર્યાથી તમે હ્રદયરોગના શિકાર બની શકો છો.

4. થાઈરૉઈડની બીમારી - Thyroid Imbalance:
નાસ્તોના કરવાથી તમને થાઇરોઇડની બીમારી થઈ શકે છે. સમયસર નાસ્તોના કરવાથી તમારા હાર્મોન્સના પ્રોડક્શનમાં તકલીફ થઈ શકે છે. જે થાઇરોઇડની બીમારીને વધારે છે. આના લીધે શરીરનું વજન વધી શકે છે. આ આદતને વહેલી તકે છોડવી જોઈએ.

નાસ્તો કરવાનો સાચો સામય
નાસ્તો કરવાનો સાચો સમય સવારે 7/8 વાગ્યાનો છે. કોઈ પણ સ્થિતિમાં તમારે સવારે 10 વાગ્યા પહેલા નાસ્તો કરી લેવો જોઈએ. નહિતર બેઠા-બેઠા જ આ બધી બીમારીઓનો શિકાર બની જશો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow