Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

વરરાજા એ અજમાવ્યો અનોખો કીમિયો ગાડી કે ઘોડા પર નહિ પરંતુ….

Gujaratnow2 min read
વરરાજા એ અજમાવ્યો અનોખો કીમિયો ગાડી કે ઘોડા પર નહિ પરંતુ….

ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ખૂબ ધૂમધામથી ચાલી રહી છે. કન્યા અને વરરાજા પોતાના લગ્નને કંઇક અલગ રીતે ગોઠવવાનું આયોજન કરતા હોય છે. આજકાલ આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ લગ્ન માં ડીજે ના સથવારે જાનૈયાઓ વાજતે ગાજતે માંડવા સુધી જાન લઈ જતા હોય છે. તો વરરાજા મોંઘી મોંઘી દાટ ગાડીઓમાં અથવા તો ઘોડા ઉપર બેસીને કન્યાને લેવા પહોંચતા હોય છે.

પરંતુ કચ્છ જિલ્લામાં આવેલા એક ગામમાં આહીર સમાજના દીકરાના લગ્ન હોય વરરાજાએ પોતાના લગ્નને કંઇક અલગ રીતે જ ગોઠવ્યા હતા. વાત કરીએ તો કચ્છ જિલ્લામાં આવેલા અંજાર થી 32 કિલોમીટર દૂર યાત્રાધામ જોગણીનારની બાજુમાં આવેલા વીરા ગામમાં શુક્રવારના રાત્રે આહિર સમાજના રાજેશ રાખ્યાભાઈ હમ્બલ ના લગ્ન ની ઉજવણી ખુબ ધૂમધામ થી થઇ હતી. વરરાજાએ પોતાના લગ્ન માં કંઈક અલગ કરવા માટે તેના પિતરાય ભાઈ જયદીપ આહીરને વાત કરી હતી.

તો જયદીપ આહીર એ મોંઘી મોંઘી દાટ ગાડીઓ કે ઘોડા ને બદલે તેને છકડા નો વિચાર આપ્યો હતો. જેથી પરિવારના લોકોએ પણ તેમાં સહમતી દર્શાવી હતી. જેના બાદ શુક્રવારે રાત્રે બેન્ડ વાજા ના સથવારે વાજતે ગાજતે પ્રાદેશિક વસ્ત્ર પહેરીને છકડા ઉપર વરરાજા સવાર થઈને ગામ માં નીકળ્યા હતા. જેમાં ભીમસરના ફોટોગ્રાફર અને વરરાજા ના ભાઈ જયદીપ આહીર વરરાજા ના સારથી બન્યા હતા.

વરરાજા છકડા ઉપર બેસીને ગામના મંદિર સુધી આવ્યા હતા તો આ વરરાજા ને જોવા ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા અને ગામના લોકો પણ આમાં સહભાગી થયા હતા. આમ ગ્રામજનોએ પણ આ ફૂલેકામાં હોશે હોશે ભાગ લીધો હતો. આમ આપણા સમાજમાં હજુ ગામડામાં પણ એવી જૂની પુરાણી રૂઢિઓ અને સંસ્કૃતિઓ હજુ જીવિત જોવા મળે છે.

Gujaratnow2 min read

Related News