સરકારે અનુપાલનમાં નિષ્ફળ 1.28 લાખ કંપનીઓને રેકોર્ડમાંથી હટાવી

સરકારે અનુપાલનમાં નિષ્ફળ 1.28 લાખ કંપનીઓને રેકોર્ડમાંથી હટાવી

સરકારે સતત બે નાણાકીય વર્ષથી નાણાકીય નિવેદનો જમા કરાવવામાં નિષ્ફળ નિવડેલી 1,27,952 કંપનીઓને સરકારી રેકોર્ડમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત સિંઘ રાઓએ જણાવ્યું હતું કે કંપનીઝ એક્ટ, 2013 હેઠળ ‘શેલ કંપની’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી. સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષથી વાર્ષિક રિટર્ન અથવા નાણાકીય નિવેદનો જમા કરવામાં નિષ્ફળ નિવડેલી કંપનીઓની ઓળખ કરીને તેને સરકારી રેકોર્ડમાંથી હટાવવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષમાં 1,27,952 કંપનીઓને સરકારી રેકોર્ડમાંથી હટાવવામાં આવી છે. લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર એવી કોઇ કંપનીઓ જે શેલ કંપનીઓ સાથે ચોરીછૂપીથી બિઝનેસ કરે છે તેને લઇને કોઇ પગલાં લઇ રહી છે કે નહીં તેના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. આવી રજીસ્ટરમાંથી હટાવાયેલી કંપનીઓ સાથે નાણાકીય લેણદેણના સંદર્ભમાં સિંઘે જણાવ્યું હતું કે મંત્રાલયે માર્ચ 2021માં એક્ટના શેડ્યૂલમાં સુધારો કર્યો હતો. આ સુધારા સાથે, રેકોર્ડમાંથી હટાવાયેલી કંપનીઓ સાથે નિસ્બત ધરાવતી કંપનીઓએ કેટલીક જાણકારી જમા કરાવવાની રહેશે.

કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને તેમની સિક્યોરિટીઝ સીધા જ ફોરેન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવા માટે અનુમતિ આપવા માટે કોઇ નિયમની જાહેરાત કરી છે કે કેમ તે અંગે પૂછાતા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. વિદેશી સ્ટોક એક્સચેન્જો પર સીધી સૂચિબદ્ધ કરવા માટે અત્યાર સુધી કોઈ નિયમો સૂચિત કરવામાં આવ્યા નથી.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow