બ્રિજભૂષણ પર કાર્યવાહી કરવા માટે સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો

બ્રિજભૂષણ પર કાર્યવાહી કરવા માટે સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો

કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે બુધવારે દિલ્હીમાં રમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મેરેથોન બેઠક કરી હતી. મીટિંગ બાદ કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું- "સરકારે તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય માંગ્યો છે." ત્યાં સુધી તેઓને કોઈ વિરોધ ન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, કુસ્તીબાજોનું આંદોલન હજી પૂરું થયું નથી.

બજરંગ પુનિયાએ કહ્યું- “ખાપ પ્રતિનિધિઓ સાથે આજની બેઠક અંગે ચર્ચા કરશે. કોઈપણ નિર્ણય દરેકની સંમતિથી જ લેવામાં આવશે. બ્રિજભૂષણની ધરપકડના સવાલ પર પણ ખેલ મંત્રીએ કહ્યું કે તપાસ પૂર્ણ થશે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ બેઠકમાં બંનેએ અનુરાગ ઠાકુરની સામે 5 માંગણીઓ મૂકી. બજરંગ અને સાક્ષીએ કહ્યું કે રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવી જોઈએ અને મહિલાને ફેડરેશનની અધ્યક્ષ બનાવવી જોઈએ.

અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું હતું કે સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. અમે તેમને ફરીથી બોલાવ્યા છે. અગાઉ 24 જાન્યુઆરીએ રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચે વાટાઘાટો થઈ હતી અને કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યું હતું.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow