બ્રિજભૂષણ પર કાર્યવાહી કરવા માટે સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો

બ્રિજભૂષણ પર કાર્યવાહી કરવા માટે સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો

કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે બુધવારે દિલ્હીમાં રમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મેરેથોન બેઠક કરી હતી. મીટિંગ બાદ કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું- "સરકારે તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય માંગ્યો છે." ત્યાં સુધી તેઓને કોઈ વિરોધ ન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, કુસ્તીબાજોનું આંદોલન હજી પૂરું થયું નથી.

બજરંગ પુનિયાએ કહ્યું- “ખાપ પ્રતિનિધિઓ સાથે આજની બેઠક અંગે ચર્ચા કરશે. કોઈપણ નિર્ણય દરેકની સંમતિથી જ લેવામાં આવશે. બ્રિજભૂષણની ધરપકડના સવાલ પર પણ ખેલ મંત્રીએ કહ્યું કે તપાસ પૂર્ણ થશે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ બેઠકમાં બંનેએ અનુરાગ ઠાકુરની સામે 5 માંગણીઓ મૂકી. બજરંગ અને સાક્ષીએ કહ્યું કે રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવી જોઈએ અને મહિલાને ફેડરેશનની અધ્યક્ષ બનાવવી જોઈએ.

અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું હતું કે સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. અમે તેમને ફરીથી બોલાવ્યા છે. અગાઉ 24 જાન્યુઆરીએ રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચે વાટાઘાટો થઈ હતી અને કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow