અકસ્માત સમયે યુવતીની બહેનપણી પણ સ્કૂટી પર હતી

અકસ્માત સમયે યુવતીની બહેનપણી પણ સ્કૂટી પર હતી

કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે નવો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી સાથે સ્કૂટી પર તેની બહેનપણી પણ હતી. ટક્કર પછી યુવતી કાર નીચે ફસાઈ ગઈ અને તેને 12KM સુધી ઢસડવામાં આવી. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.

31 ડિસેમ્બરે રાત્રે 2 વાગ્યાની આસપાસ 20 વર્ષીય યુવતીને કારમાં સવાર પાંચ યુવકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવકો કાર લઈને ફરાર થઈ ગયા. છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને ઢસડાતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાંચેય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ તમામના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે, જેથી જાણી શકાય કે તેઓ નશામાં હતા કે નહીં. મૃતકના અંતિમસંસ્કાર મંગળવારે થઈ શકે છે.

સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવાના આધારે ટાઇમલાઇન બનાવવામાં આવશે. આ માટે આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર લાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરવામાં આવશે. સાંજે યુવતીના મૃતદેહને મૌલાના આઝાદ મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો. અહીં લગભગ દોઢ કલાક સુધી તેમનું પોસ્ટમોર્ટમ થયું.

આ મામલે દિલ્હી પોલીસની થિયરી પણ શંકામાં આવી ગઈ છે. પોલીસનું કહેવું છે કે આ એક જીવલેણ અકસ્માત છે, પરંતુ પરિવારજનો તેને હત્યા ગણાવી રહ્યા છે. પીડિતાની માતાનું કહેવું છે કે તેણે ઘણાં કપડાં પહેર્યા હતા, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?
અહીં દિલ્હી પોલીસના પીઆરઓ સુમન આલ્વાએ જણાવ્યું હતું કે કેટલીક ચેનલો આ મામલામાં એફઆઈઆરમાં બળાત્કાર અને હત્યાની કલમો સામેલ કરવાના સમાચાર ચલાવી રહી છે. આ ખોટું છે. પીડિત પરિવારે આ કલમોને પણ તપાસમાં સામેલ કરવાની માગણી કરી હતી. હવે મેડિકલ બોર્ડ મૃતદેહનું ઓટોપ્સી કરશે. રિપોર્ટ આવ્યા બાદ જ આ માગણીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow