રાજકોટના ગૌરીદળમાં કૂવામાંથી યુવતીની લાશ મળી, બે વર્ષ પહેલા સગાઈ થઈ હતી

રાજકોટના ગૌરીદળમાં કૂવામાંથી યુવતીની લાશ મળી, બે વર્ષ પહેલા સગાઈ થઈ હતી

રાજકોટના મોરબી રોડ પર આવેલા ગૌરીદળ ગામે પરિવાર સાથે નાનકીબેન ઉર્ફે શર્મિલાબેન જુવાનસિંહ આદિવાસી (ઉં.વ.18) પેટીયુ રળવા આવી હતી. પરંતુ આજે તેની લાશ કૂવામાં તરતી હોવાની જાણ થતા ગ્રીનલેન્ડ લોકેશનની 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ નાનકીબેનનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં 108ની ટીમે તપાસી મૃત જાહેર કરી હતી. યુવતીની સગાઈ બે વર્ષ પહેલા જ કરી હોવાનું જાણવા મળ્યું છે.

હોળી બાદ નાનકીબેનના લગ્ન હતા
દીકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં બે વર્ષ પહેલા નાનકીબેનની સગાઈ થઈ ગઈ હતી. હોળી બાદ નાનકીબેનના લગ્ન હતા, નાનકીબેનની નાની બહેન અગાઉ ભાગી ગઈ હતી અને નાનકીબેન પણ ઘરે હાજર નહીં મળી આવતા નાનકીબેન ભાગી ગઈ હોવાની શંકાએ પરિવાર વહેલી સવારે વતનમાં જવા નીકળી ગયો હતો.

પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડ્યો
પરંતુ સરધાર પાસે પહોંચતા વાડી માલિક નીતિનભાઈ અજાણીએ પરપ્રાંતીય પરિવારને ફોન કરી તેમની પુત્રીની લાશ કૂવામાં પડી હોવાની જાણ કરતા પરિવાર પરત ફર્યો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow