અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

29 માર્ચે અષ્ટમી અને 30 માર્ચે નવી તિથિ પર નવરાત્રિ સમાપ્ત થઈ જશે. જે લોકો આખી નવરાત્રિ દરમિયાન વ્રત ન રાખી શકતાં હોય કે દેવી આરાધના ન કરી શકતાં હોય એ લોકો માટે આ ખાસ તિથિઓ છે જેમાં વ્રત-ઉપવાસ, દાનપુણ્ય, કન્યા પૂજનથી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

ગ્રંથોમાં જણાવ્યું છે કે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજાની સાથે જ શ્રદ્ધાનુસાર વ્રત કે ઉપવાસ કરવામાં આવે તો બધા નવ દિવસ વ્રત-ઉપવાસ કરવા સમાન પુણ્ય ફળ મળી જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં દરેક દિવસ વ્રત-ઉપવાસ ન રાખી શકો તો અષ્ટમી અને નવમી પર જ વ્રત કરવાથી સંપૂર્ણ શક્તિપર્વનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

આ 2 તિથિઓ પર કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી તન-મનની શુદ્ધિ તો થાય જ છે સાથે જ દેવીની કૃપાથી મનોકામના પૂરી થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજા અને વ્રત-ઉપાવાસથી રોગ, શોક અને દોષ સમાપ્ત થઈ જાય છે. આ 2 દિવસ શક્તિ આરાધના કરવાથી દુશ્મનો પર જીત પ્રાપ્ત કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow