અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

29 માર્ચે અષ્ટમી અને 30 માર્ચે નવી તિથિ પર નવરાત્રિ સમાપ્ત થઈ જશે. જે લોકો આખી નવરાત્રિ દરમિયાન વ્રત ન રાખી શકતાં હોય કે દેવી આરાધના ન કરી શકતાં હોય એ લોકો માટે આ ખાસ તિથિઓ છે જેમાં વ્રત-ઉપવાસ, દાનપુણ્ય, કન્યા પૂજનથી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

ગ્રંથોમાં જણાવ્યું છે કે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજાની સાથે જ શ્રદ્ધાનુસાર વ્રત કે ઉપવાસ કરવામાં આવે તો બધા નવ દિવસ વ્રત-ઉપવાસ કરવા સમાન પુણ્ય ફળ મળી જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં દરેક દિવસ વ્રત-ઉપવાસ ન રાખી શકો તો અષ્ટમી અને નવમી પર જ વ્રત કરવાથી સંપૂર્ણ શક્તિપર્વનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

આ 2 તિથિઓ પર કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી તન-મનની શુદ્ધિ તો થાય જ છે સાથે જ દેવીની કૃપાથી મનોકામના પૂરી થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજા અને વ્રત-ઉપાવાસથી રોગ, શોક અને દોષ સમાપ્ત થઈ જાય છે. આ 2 દિવસ શક્તિ આરાધના કરવાથી દુશ્મનો પર જીત પ્રાપ્ત કરી શકાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow