કામની સ્વતંત્રતા-સક્રિયતાથી બિઝનેસમેનને હકારાત્મક ઊર્જા મળે છે અને બર્નઆઉટનો શિકાર પણ થતા નથી

કામની સ્વતંત્રતા-સક્રિયતાથી બિઝનેસમેનને હકારાત્મક ઊર્જા મળે છે અને બર્નઆઉટનો શિકાર પણ થતા નથી

પગારદાર કર્મચારીઓ અને ધંધાદારીઓ વારંવાર બર્નઆઉટ (તણાવ અને બીમારી)ની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. બીજી બાજુ યુવા ધંધાદારીઓ કર્મચારીઓ કરતાં વધારે સમય સુધી કામ કરતા નજરે પડે છે, છતાં તેઓ બર્નઆઉટના શિકાર થતા નથી. આ સંબંધમાં નેધરલેન્ડસની એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીમાં હાલમાં રિસર્ચ હાથ ધરાયું હતું.

આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ધંધાદારીઓને કામ કરવાની સ્વતંત્રતા અને તેમના સતત કોઇ કાર્યની પાછળ રહેવાના કારણે તેમને પોઝિટિવ એનર્જી પણ મળે છે. તેમની અંદર એક પ્રકારની હકારાત્મક ઊર્જા આવી જાય છે, જે વધારે કામ કરવાની સ્થિતિમાં પણ થાકનો અનુભવ કરાવતા નથી. મુખ્ય રિસર્ચ નિષ્ણાત પ્રો. ઓબ્સચોંકાએ કહ્યું છે કે કામને લઇને તણાવ અને સમયનું દબાણ ધંધાદારીઓને ઉચ્ચ સ્તરની વ્યક્તિગત સ્વાયત્તતા પ્રદાન કરે છે.

આ તમામ તેમને હકારાત્મક મનોવૈજ્ઞાનિક વાપસી તરફ લઇ જાય છે. જે ધંધાદારી કામમાં પોતાની મોટી ભાગીદારીના કારણ બને છે, તેમનામાં એનર્જી વધારે જોવા મળે છે. પરિણામસ્વરૂપે તેમનું કામ પગારદાર કર્મચારીઓની સરખામણીમાં વધારે એનર્જી આપે છે.

સાથેસાથે વધારે હકારાત્મક સ્થિતિ પ્રદાન કરે છે. આવા લોકો પોતાના કામથી ખુશ અને વધારે સંતુષ્ટ રહે છે. ખાસ કરીને કોઇ અન્ય કર્મચારીઓ માટે જવાબદાર ન હોવાના કારણે તેઓ બર્નઆઉટનો શિકાર પણ થતા નથી.

ધંધાકીય દ્રષ્ટિકોણથી કર્મીઓ બર્નઆઉટથી બચશે
ખૂબ વધારે જોખમવાળી નોકરી કરતા કર્મચારીઓએ ધંધાદારી દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે. ઉદ્યોગસાહસિકોનું વલણ રાખવાથી ફાયદો થાય છે. આનાથી બર્નઆઉટના શિકાર થવાથી બચી જાય છે. બીજી બાજુ પોતાના કામને મજબૂત કરીને પૂર્ણ હકારાત્મક ઊર્જા સાથે કામ કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow