વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

ઉદયપુર-અમદાવાદ વચ્ચે રેલ્વે લાઇન શરૂ થયા બાદ હવે એવિએશન ડિપાર્ટમેન્ટે ઉદયપુરથી અમદાવાદની ફ્લાઈટ શરૂ કરી છે. આ મુસાફરી તમે માત્ર 55 મિનિટમાં પુરી કરી શકશો. ઉદયપુર ફરવા જતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી માટે આ ખૂબ જ સારી સુવિધા હશે.

શું હશે ફ્લાઈટના ટાઈમિંગ?
આ ફ્લાઇટ ઉદયપુરના મહારાણા ભૂપાલ એરપોર્ટથી દરરોજ બપોરે 3:25 કલાકે ઉપડશે અને 55 મિનિટમાં 4:20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ ફ્લાઇટ અમદાવાદથી સાંજે 5:35 કલાકે ઉપડશે અને 45 મિનિટમાં ઉદયપુર પહોંચશે.

આ દેશોથી સુધા ઉદયપુર આવી શકાશે
ખાસ વાત એ છે કે આ ફ્લાઈટ શરૂ થવાથી ખાડી દેશો, કુવૈત, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા લોકો સીધી ફ્લાઈટ દ્વારા ઉદયપુર આવી શકશે.

ટ્રેનમાં લાગે છે 5 કલાકનો સમય
તમને જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ બ્રોડગેજ આમાન પરિવર્તન બાદ ટ્રેન 30 ઓક્ટોબરે શરૂ થઈ હતી. ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચવામાં 5 કલાકનો સમય લાગે છે. ફ્લાઇટના ઊંચા ભાડાને કારણે સામાન્ય મુસાફરો માટે રેલ વધુ સારી સુવિધા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow