વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

ઉદયપુર-અમદાવાદ વચ્ચે રેલ્વે લાઇન શરૂ થયા બાદ હવે એવિએશન ડિપાર્ટમેન્ટે ઉદયપુરથી અમદાવાદની ફ્લાઈટ શરૂ કરી છે. આ મુસાફરી તમે માત્ર 55 મિનિટમાં પુરી કરી શકશો. ઉદયપુર ફરવા જતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી માટે આ ખૂબ જ સારી સુવિધા હશે.

શું હશે ફ્લાઈટના ટાઈમિંગ?
આ ફ્લાઇટ ઉદયપુરના મહારાણા ભૂપાલ એરપોર્ટથી દરરોજ બપોરે 3:25 કલાકે ઉપડશે અને 55 મિનિટમાં 4:20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ ફ્લાઇટ અમદાવાદથી સાંજે 5:35 કલાકે ઉપડશે અને 45 મિનિટમાં ઉદયપુર પહોંચશે.

આ દેશોથી સુધા ઉદયપુર આવી શકાશે
ખાસ વાત એ છે કે આ ફ્લાઈટ શરૂ થવાથી ખાડી દેશો, કુવૈત, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા લોકો સીધી ફ્લાઈટ દ્વારા ઉદયપુર આવી શકશે.

ટ્રેનમાં લાગે છે 5 કલાકનો સમય
તમને જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ બ્રોડગેજ આમાન પરિવર્તન બાદ ટ્રેન 30 ઓક્ટોબરે શરૂ થઈ હતી. ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચવામાં 5 કલાકનો સમય લાગે છે. ફ્લાઇટના ઊંચા ભાડાને કારણે સામાન્ય મુસાફરો માટે રેલ વધુ સારી સુવિધા છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow