વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

ઉદયપુર-અમદાવાદ વચ્ચે રેલ્વે લાઇન શરૂ થયા બાદ હવે એવિએશન ડિપાર્ટમેન્ટે ઉદયપુરથી અમદાવાદની ફ્લાઈટ શરૂ કરી છે. આ મુસાફરી તમે માત્ર 55 મિનિટમાં પુરી કરી શકશો. ઉદયપુર ફરવા જતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી માટે આ ખૂબ જ સારી સુવિધા હશે.

શું હશે ફ્લાઈટના ટાઈમિંગ?
આ ફ્લાઇટ ઉદયપુરના મહારાણા ભૂપાલ એરપોર્ટથી દરરોજ બપોરે 3:25 કલાકે ઉપડશે અને 55 મિનિટમાં 4:20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ ફ્લાઇટ અમદાવાદથી સાંજે 5:35 કલાકે ઉપડશે અને 45 મિનિટમાં ઉદયપુર પહોંચશે.

આ દેશોથી સુધા ઉદયપુર આવી શકાશે
ખાસ વાત એ છે કે આ ફ્લાઈટ શરૂ થવાથી ખાડી દેશો, કુવૈત, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા લોકો સીધી ફ્લાઈટ દ્વારા ઉદયપુર આવી શકશે.

ટ્રેનમાં લાગે છે 5 કલાકનો સમય
તમને જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ બ્રોડગેજ આમાન પરિવર્તન બાદ ટ્રેન 30 ઓક્ટોબરે શરૂ થઈ હતી. ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચવામાં 5 કલાકનો સમય લાગે છે. ફ્લાઇટના ઊંચા ભાડાને કારણે સામાન્ય મુસાફરો માટે રેલ વધુ સારી સુવિધા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow