વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

વેકેશન સિઝનમાં જ ગુજરાતીઓની ફેવરિટ જગ્યા માટે ફ્લાઇટ શરૂ-માત્ર 55 મિનિટમાં થશે સફર, ટ્રેનમાં લાગે છે 5 કલાક

ઉદયપુર-અમદાવાદ વચ્ચે રેલ્વે લાઇન શરૂ થયા બાદ હવે એવિએશન ડિપાર્ટમેન્ટે ઉદયપુરથી અમદાવાદની ફ્લાઈટ શરૂ કરી છે. આ મુસાફરી તમે માત્ર 55 મિનિટમાં પુરી કરી શકશો. ઉદયપુર ફરવા જતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી માટે આ ખૂબ જ સારી સુવિધા હશે.

શું હશે ફ્લાઈટના ટાઈમિંગ?
આ ફ્લાઇટ ઉદયપુરના મહારાણા ભૂપાલ એરપોર્ટથી દરરોજ બપોરે 3:25 કલાકે ઉપડશે અને 55 મિનિટમાં 4:20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ ફ્લાઇટ અમદાવાદથી સાંજે 5:35 કલાકે ઉપડશે અને 45 મિનિટમાં ઉદયપુર પહોંચશે.

આ દેશોથી સુધા ઉદયપુર આવી શકાશે
ખાસ વાત એ છે કે આ ફ્લાઈટ શરૂ થવાથી ખાડી દેશો, કુવૈત, સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા લોકો સીધી ફ્લાઈટ દ્વારા ઉદયપુર આવી શકશે.

ટ્રેનમાં લાગે છે 5 કલાકનો સમય
તમને જણાવી દઈએ કે ઉદયપુર અમદાવાદ બ્રોડગેજ આમાન પરિવર્તન બાદ ટ્રેન 30 ઓક્ટોબરે શરૂ થઈ હતી. ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચવામાં 5 કલાકનો સમય લાગે છે. ફ્લાઇટના ઊંચા ભાડાને કારણે સામાન્ય મુસાફરો માટે રેલ વધુ સારી સુવિધા છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow