રાજકોટથી મુંબઈ જતી ફ્લાઈટ એક કલાક સુધી ટેક ઓફ ન થઈ

રાજકોટથી મુંબઈ જતી ફ્લાઈટ એક કલાક સુધી ટેક ઓફ ન થઈ

રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ નિયમિત રીતે અનિયમિત અથવા તો રદ હોય છે. ત્યારે સોમવારે વધુ એક ફ્લાઇટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી. જેને કારણે મુસાફરોને પરેશાની ભોગવવી પડી હતી. જોકે એરલાઈન્સ સંચાલકોએ ફ્લાઇટ મોડી પડવા અંગે કોઇ કારણ રજૂ નહિ કરતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

રાજકોટથી મુંબઇ જવા માટે ફ્લાઈટ 11.30 કલાકે ઉડાન ભરે છે, પરંતુ 12.30 કલાક સુધી ફ્લાઈટએ ઉડાન નહોતી ભરી. ફ્લાઈટ તેના નિયત સમયે ટેક ઓફ નહિ થતા મુસાફરોએ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે એરલાઈન્સ સંચાલકોએ આ અંગે મુસાફરોને જવાબ દેવાનું પણ ટાળ્યું હતું.

મુંબઈ જતા મુસાફરે જણાવ્યું હતું કે, છેલ્લી ઘડી સુધી ફ્લાઇટ મોડી હોવાની જાણ કરવામાં આવી નહોતી. જેને કારણે જે સમયે મુંબઈ કે બીજા શહેરમાં મિટિંગ, આરોગ્ય ચકાસણી માટે પહોંચવાનું હતું તે સમયે પહોંચી નહોતા શક્યા. આખરી ઘડીએ ફ્લાઇટ મેળવવા માટે મુસાફરોને અમદાવાદ સુધી લાંબા થવું પડ્યું હતું અથવા ખાનગી વાહનો કરીને મુસાફરો નીકળ્યા હતા. હજુ ગત માસમાં પણ ફ્લાઇટ મોડી પડી હતી. આમ, અવારનવાર ફ્લાઇટના શિડ્યૂલ વિંખાઈ જતા હોવાની ફરિયાદ ઊઠી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow