વર્લ્ડ કપ 2023નો પહેલો અપસેટ સર્જાયો

વર્લ્ડ કપ 2023નો પહેલો અપસેટ સર્જાયો

વન-ડે વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો અપસેટ રવિવારે સર્જાયો હતો. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં સતત 14 હાર બાદ જીત નોંધાવી અને 2019ના ચેમ્પિયનને હરાવ્યું છે.

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 49.5 ઓવરમાં 284 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 215 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના સ્પિનર્સ ગેમ ચેન્જર રહ્યા હતા. મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી અને રાશિદ ખાને મળીને 8-8 વિકેટ લીધી હતી. મુજીબ અને રાશિદે 3-3 જ્યારે મોહમ્મદ નબીએ 2 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ પાંચમી વખત અપસેટનો શિકાર બન્યું
ઇંગ્લેન્ડની ટીમ વન-ડે વર્લ્ડ કપ ઈતિહાસમાં પાંચમી વખત અપસેટનો શિકાર બની હતી. આ પહેલા 1992માં ટીમને ઝિમ્બાબ્વેએ 9 રને હાર આપી હતી. 2011માં ટીમ આયર્લેન્ડ સામે 3 વિકેટે અને બાંગ્લાદેશે 2 વિકેટે હરાવ્યું હતું. 2015માં પણ બાંગ્લાદેશે ટીમને 15 રનથી હરાવીને ખળભળાટ મચાવ્યો હતો.

હવે 2023માં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 69 રનથી હરાવીને પાંચમી વખત વર્લ્ડ કપમાં અપસેટનો કડવો સ્વાદ ચાખ્યો હતો. એટલું જ નહીં ઇંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે બે વખત હારીને પણ અપસેટનો શિકાર બની છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow