ફુગાવા સામેની લડત વર્ષ 2023માં પણ યથાવત્ રહેશે

ફુગાવા સામેની લડત વર્ષ 2023માં પણ યથાવત્ રહેશે

વર્ષ 2022 દરમિયાન ફુગાવો RBIના નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંક કરતાં વધુ રહ્યો હતો. જો કે હવે રિટેલ ફુગાવો ઘટી રહ્યો છે. આગામી સમયમાં વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે ફુગાવને વધુ અંકુશમાં રાખવા માટેના પ્રયાસો સતત ચાલુ રહેશે. ક્રૂડ અને ખાદ્યપદાર્થો, કઠોળ, શાકભાજીની વધુ કિંમતો આ વર્ષ દરમિયાન ફુગાવા પાછળનું મુખ્ય કારણ હતું. તે ઉપરાંત ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્વને કારણે પણ વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઇ હતી જેને પરિણામે અનેક કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો.

ગત મે મહિનાથી RBIએ રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યો હતો, જે સાથે જ રેપો રેટ 6.25% સાથે ત્રણ વર્ષના સર્વાધિક સ્તરે પહોંચ્યો હતો.

CPI આધારિત રિટેલ ફુગાવો જાન્યુઆરીથી જ RBIના 6 ટકાના નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર રહ્યો હતો અને ઓક્ટોબર સુધી તે 6 ટકાની ઉપર રહ્યો હતો. જો કે ઓક્ટોબરમાં તે ઘટીને 5.88 ટકાની સપાટીએ પહોંચતા મોંઘવારીના મામલે કેટલાક અંશે રાહત થઇ હતી. RBIના ‘એનોટોમી ઑફ ઇન્ફ્લેશન એસેન્ટ ઇન ઇન્ડિયા’ રિપોર્ટ અનુસાર વર્ષ દરમિયાન સપ્લાય અડચણોને કારણે ફુગાવાનું દબાણ વધ્યું હતું જો કે ત્યારબાદ તેની અસર ઓછી થવાને કારણે ફરીથી ખર્ચામાં વધારો થયો હતો . તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ફુગાવાને લઇને વધુ અનિશ્વિતતાઓ પ્રવર્તી રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow