ગરીબ બાળકીની કોણીનું ઓપરેશન નિ:શુલ્ક કરી તબીબે માનવતા દર્શાવી

ગરીબ બાળકીની કોણીનું ઓપરેશન નિ:શુલ્ક કરી તબીબે માનવતા દર્શાવી

ગોંડલ શહેરમાં પ્લાસ્ટિકનો કચરો અને ભંગાર વીણી પેટીયું રળતા પરિવારની પાંચ વર્ષની બાળાને કોણીમાં ગંભીર રીતે ફ્રેક્ચર થયું હતું અને જો તાબડતોબ તેણીનું ઓપરેશન ન થાય તો ગેંગરિન થઇ જવાની ભીતિ હતી. એવામાં આ ઘટનાની સેવાભાવી આગેવાનને જાણ થઇ અને તેમણે તરત જ તબીબને વાકેફ કરતાં તબીબે આ બાળકીનું ઓપરેશન કરી બાળાનો જીવ બચાવી માનવતા મહેકાવી હતી. ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ સોરાલા પ્લાસ્ટિક અને ભંગાર વીણી ઘર ગુજરાન ચલાવે છે .તેની પાંચ વર્ષની બાળકી બંસી પડી જતા કોણીમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું.

ડાબા હાથની કોણીમાં ગંભીર ફ્રેક્ચર હતું
આ બાબતની જાણ શિવમ ટ્રસ્ટના પ્રમુખને થતા તેઓ તાકીદે ડોક્ટર વાડોદરિયાને સઘળી હકીકતની જાણ કરી હતી અને તેમણે ઇમર્જન્સીમાં બંસીનું ઓપરેશન કરી દીધું હતું. આ તકે તબીબે જણાવ્યું હતું કે બંસીના ડાબા હાથની કોણીમાં ગંભીર ફ્રેક્ચર હતું, જો તેને તાત્કાલિક ઓપરેશન કરવામાં ન આવે તો તેને ગેંગરિન શરૂ થઈ જવાની શક્યતા હતી. પરિણામે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર નિશુલ્ક ઓપરેશન કરી દેવાયું હતું.

વિલંબ કર્યા વગર નિશુલ્ક ઓપરેશન કરી દેવાયું
​​​​​​​શહેરમાં સમયાંતરે તબીબો નિ:શુલ્ક કેમ્પ યોજી લોકોને ઉપયોગી બની જ રહ્યા હોય છે અને આજે જ્યારે મેડિકલ સારવાર જ્યારે અતિશય મોંઘી બની ગઇ છે ત્યારે નાની એવી ઇજા કે ઓપરેશન પણ ભલભલાના ઘરના બજેટ વેર-વિખેર કરી નાખે છે ત્યારે ખાનગી હોસ્પિટલના આ તબીબે પળવારનો પણ વિચાર કર્યા વગર બાળકીને ગંભીર બીમારીમાંથી તો બચાવી જ લીધી, સાથે 40,000 થી વધુ ખર્ચ થઇ શકે તેવું ઓપરેશન નિ:શુલ્ક કરી દાખલો બેસાડ્યો.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow