Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દૂધના પેકેટ પર મતદાન જાગૃતિનો સંદેશ આપશે, બાંધકામ વિભાગ દ્વારા આચારસંહિતાનો કડક અમલ શરુ

Gujaratnow2 min read
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દૂધના પેકેટ પર મતદાન જાગૃતિનો સંદેશ આપશે, બાંધકામ વિભાગ દ્વારા આચારસંહિતાનો કડક અમલ શરુ

લોકશાહીનો અવસર એટલે ચૂંટણી અને મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે. નાગરિકો ચૂંટણી "અવસર"માં મતદાન કરે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા જાગૃતિ પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ જિલ્લામાં દૂધના પેકેટ પર 'અચૂક કરો મતદાન'ના સ્ટીકર સાથે મતદાન જાગૃતિનો સંદેશ અપાશે. આ ઉપરાંત રાજકોટ ડેરી અને દૂધ વિતરકો સાથે મળીને દૂધની સાથે ઘરે ઘરે મતદાન જાગૃતિના પેમ્ફલેટ પણ પહોંચાડવા આવશે.

200 મીટરની બહાર રાજકીય પક્ષ ટેબલ મૂકી શકશે નહીં‌‌નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં 1 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે રાજકીય પક્ષોની જેમ સરકારી વિભાગ દ્વારા પણ ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બાંધકામ વિભાગ દ્વારા રસ્તા પર 100 મીટર અને 200 મીટરના લખાણ લખવામાં આવ્યા છે. ઇલેક્શન કમિશનના નિયમ મુજબ 200 મીટરની બહાર રાજકીય પક્ષ ટેબલ મૂકી શકશે નહીં.

વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, મતદારોને જાગૃત કરવા "અવસર રથ"ના માધ્યમથી પ્રયાસો કરવામાં આવ્યા છે. જ્યાં મતદાન ઓછું છે તેવા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે અને લોકો મતદાન માટે પ્રેરિત થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન માટે પ્રેરિત કરતા જાગૃતિ સંદેશાના પેમ્ફલેટ છપાવીને અખબારોના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે.

મતદાનની અપીલ કરતી કોલર ટ્યૂન વાગશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગર પાલિકાની ટેકસ શાખાના માધ્યમથી નાગરિકોને બલ્ક એસ.એમ.એસ. કરવામાં આવશે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં જતી ટીપર વાનમાં સવારે 6થી 9 મતદાર જાગૃતિની ઓડિયો ક્લિપ વાગશે. ફોનમાં હવે મતદાનની અપીલ કરતી કોલર ટ્યૂન વગાડવાનું પણ આયોજન હાથ ધર્યું છે.

વીડિયો સંદેશનું જાગૃતિ અભિયાન
આ ઉપરાંત મહિલાઓને મતદાન માટે જાગૃત કરવા ગેસ સિલિન્ડર પર મતદાન જાગૃતિ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. વયોવૃદ્ધ મતદારોનું મતદાન વધારવા દરેક વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાઈ રહ્યો છે. થર્ડ જેન્ડર નાગરિકોને પણ જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા છે અને તેઓ મતદાન માટે પ્રેરિત કરતા વીડિયો સંદેશનું જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

‌                                                                       ‌

Gujaratnow2 min read

Related News