પડોશી દેશોમાં કાશ્મીરી સફરજનની માગ વધી

પડોશી દેશોમાં કાશ્મીરી સફરજનની માગ વધી

તૂર્કિયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને કારણે ત્યાં સફરજનની નિકાસ પર પણ ભારે અસર પડી છે. તૂર્કિયેમાંથી સફરજનની નિકાસ હાલપૂરતી બંધ થઈ છે. આ કારણે ભારતના સ્થાનિક બજારમાં તેમજ નેપાળ અને બાંગ્લાદેશમાં કાશ્મીરી સફરજનની માંગ વધી છે. કાશ્મીરના સફરજનની ખેતી કરતાં લોકોનું કહેવું છે છેલ્લા બે મહિનથી માંગ અને ભાવ બંનેમાં વધારો થયો છે. જાન્યુઆરી સુધી દરરોજ કાશ્મીરી સફરજનથી ભરેલી લગભગ 6-7 ટ્રક નેપાળ જતી હતી. ફેબ્રુઆરીથી આ સંખ્યા વધીને રોજની 10 ટ્રક થઈ છે. એટલે કે સપ્લાઇમાં 80% સુધીનો વધારો નોંધાયો છે.

બીજી તરફ જાન્યુઆરીમાં સફરજનના 20 ટ્રકો દરરોજ બાંગ્લાદેશ જતા હતા. ફેબ્રુઆરીમાં ટ્રકોની સંખ્યા વધીને 30 થઇ. દરેક ટ્રકમાં 15 કિલો સફરજનના 800થી 1000 બોક્સ હોય છે. કાશ્મીર ફળ ઉત્પાદક અને ડીલર્સ એસોસિયેશનના અધ્યક્ષ વશીર અહમદે જણાવ્યું હતું કે, તૂર્કિયેમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતનાં વિવિધ શહેરો સહિત પડોશી દેશોમાં કાશ્મીરી સફરજનની માંગ વધી છે. કાશ્મીરી સફરજનોને પશ્ચિમ બંગાળ સરહદેથી નેપાળ તેમજ બાંગ્લાદેશ મોકલાવાય છે.

દેશમાં સફરજનનું 26 લાખ મેટ્રિક ટન ઉત્પાદન, કાશ્મીરમાં 78 ટકાઃ ભારતમાં સફરજનનું કુલ ઉત્પાદન વાર્ષિક 26 લાખ મેટ્રિક ટન છે તેમાંથી લગભગ 78% ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. કાશ્મીર ખીણમાં 3.38 લાખ હેક્ટરથી વધુ જમીન પર ખેતી થાય છે. તેમાંથી 1.62 લાખ હેક્ટર વિસ્તારમાં સફરજનની ખેતી થાય છે. કાશ્મીરને દર વર્ષે સફરજનમાંથી 10,000 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow