જસદણના આટકોટ રોડ પરનું સર્કલ બન્યું અકસ્માત ઝોન

જસદણના આટકોટ રોડ પરનું સર્કલ બન્યું અકસ્માત ઝોન

જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સાંજના સુમારે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાની થઈ ન હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ બાયપાસ સર્કલ વાહનચાલકોને નડતરરૂપ રીતે બનાવવામાં આવેલું હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે અને સર્કલના લીધે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. છતાં જે તે જવાબદારો દ્વારા આ સર્કલને હટાવવાની અથવા તો તેની ડીઝાઈન બદલવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. જેથી આવનારા સમયમાં આ સર્કલ અંગે તંત્ર દ્વારા વિચારણા કરાય તે ઈચ્છનીય છે.

સર્કલના લીધે અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે
જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પર લાંબા સમય પહેલા જળ સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જસદણ-આટકોટ ફોરલેન રોડ બનતા આ રોડ પર દિનપ્રતિદિન વાહનોની અવરજવર વધતા આ સર્કલ અકસ્માત સંભવિત બની જવા પામ્યું છે.

કારણ કે જસદણના આ જળ સર્કલમાં નગરપાલિકાની આળસના લીધે મસમોટું ખડ ઉગી નીકળ્યું છે અને તેને હટાવવામાં પાલિકાના સત્તાધિશોને જબરી આળસ છે. આથી અહીંથી પસાર થતા અને સામેથી આવતા વાહનો ચાલકોને દેખાતા ન હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow