Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
government

કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આપી મંજૂરી, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

Gujaratnow1 min read
કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આપી મંજૂરી, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

વર્ષના આગમન સાથે જ કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે તમે બધા મફતમાં ટીવી જોઈ શકો છો. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 2,539.61 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા સરકારે અંતરિયાળ, આદિવાસી અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આઠ લાખથી વધુ ડીડી ફ્રી સેટ-ટોપ બોક્સનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  

ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શને આધુનિક બનાવવા 2,539 કરોડની ફાળવણી
પ્રસાર ભારતી – ઓલ ઇન્ડિયા રેડિયો (એઆઇઆર) અને દૂરદર્શન (ડીડી) એમ બે મહત્ત્વપૂર્ણ પ્રસારણ વિભાગોને સુધારવા અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 સુધીમાં આ હેતુ માટે રૂ.2,539.61 કરોડની ફાળવણી કરી છે.માધ્યમ છે.

કોને લાભ મળશે
અંતરિયાળ અને બોર્ડર એરિયામાં રહેતા લોકોને મફતમાં સેટ ટોપ બોક્ષ મળશે એટલે કે તેઓ મફતમાં ટીવી ચેનલો જોઈ શકશે. હાલમાં દૂરદર્શન 28 રિજનલ ચેનલ સહિત 36 ટીવી ચેનલ ચલાવે છે તો ઓલ ઇન્ડિયા રેડિયો 500 થી વધુ પ્રસારણ કેન્દ્રોનું સંચાલન કરે છે. આ યોજનાથી દેશમાં એઆઈઆર એફએમ ટ્રાન્સમિટર્સનો વ્યાપ ભૌગોલિક વિસ્તાર દ્વારા 66 ટકા અને વસતીના હિસાબે 80 ટકા થઈ જશે, જે અનુક્રમે 59 ટકા અને 68 ટકા છે.

Gujaratnow1 min read

Related News