અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટાયર ફાટતાં કાર ઊંધી થઈ ગઇ

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટાયર ફાટતાં કાર ઊંધી થઈ ગઇ

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે જાણે મોતનો હાઈવે ન બન્યો હોય તેમ એક બાદ એક અકસ્માતો સામે આવી રહ્યા છે. આજે વહેલી પરોઢીયે અહીંયાથી પસાર થતી એક કારનું એકાએક ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો છે. આ કાર હાઈવે પર જ ઊંધી થઈ ગઈ હતી. આકસ્માતમા એકનુ સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

મૃતક વ્યક્તિ અમદાવાદનો રહેવાસી

નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાંથી પસાર થતાં અમદાવાદ- વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર શુક્રવાર વહેલી સવારના રોજ કાર નંબર (GJ 10 DE 3946)નું એકાએક ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ કાર હાઈવેની વચ્ચોવચ્ચ ઊંધી થઈ ગઈ હતી. કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક વ્યક્તિ અલ્પેશભાઈ ભીમજીભાઈ દધાણીયાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. આકસ્માતની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિ અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું છે.

નડિયાદ રૂરલ પોલીસે મધુભાઇ હરજીવનભાઇ સરડવાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ મધુભાઈ મોરબી ખાતે રહે છે અને તેઓના મિત્ર ચિરાગભાઇ ચીમનભા બાલ્ટા તથા વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણીની વર્ના ગાડી લઇને અમો અમદાવાદના ગોતા ચોકડી ICB ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ભીમજીભાઇ દઢાણીયાના ઘરે આવેલા અને ત્યાંથી આ તમામ મિત્રો મુંબઈ ધંધા અર્થે ગત 14મી ડીસેમ્બરે નીકળ્યા હતા. જ્યાંથી પરત અમદાવાદ ફરતી વેળાએ આકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઇવેના જોશીપુરા સીમ નજીક આ કારનું ડ્રાઇવર સાઇડનું આગળના વ્હીલનું ટાયર ફાટતા કાર આગળ જતા કોઈ ટ્રક સાથે અથડાઈ અને પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં વિશાલભાઇ હેમંતભાઇ ગોધાણી, ચિરાગભાઇ ચિમનભાઈ બાલ્ટા તથા અન્ય એકને સામાન્ય ઇજા થયી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow