બાંગ્લાદેશમાં બસ ખીણમાં પડી

બાંગ્લાદેશમાં બસ ખીણમાં પડી

બાંગ્લાદેશમાં રવિવારે એક બસ ખીણમાં પડી જતાં 19 મુસાફરોના મોત થયા જ્યારે 30 અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક મોહમ્મદ મસૂદ આલમે જણાવ્યું કે ઢાકા જતી ઈમાદ ટ્રાન્સપોર્ટની બસ સવારે લગભગ પોણા આઠ વાગે શિબચરના મદારીપુરમાં એક એક્સપ્રેસવે પર અનિયંત્રિત થઈને 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.

જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે ત્રણના મોત થયાં હતાં. બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યાં છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની આશંકા છે. શોનાડાંગા બસ સ્ટેશન ઓફિસર મોહમ્મદ સબુજ ખાને જણાવ્યું કે બસમાં 43 થી વધુ મુસાફરો હતા. એવું માનવામાં આવે છે કે બસનું એક ટાયર પંચર થઈ જતાં તે કાબૂ બહાર ગઈ હતી. આ પછી તે ખાડામાં પડી ગઈ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow