ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર બસે ડિવાઈડર તોડ્યું

ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર બસે ડિવાઈડર તોડ્યું

પાકિસ્તાનમાં એક રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 19ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે - હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માતનું કારણ શું હતું. જોકે, એવું માનવામાં આવે છે કે વરસાદને કારણે બસ બીજી લેનમાં ગઈ હતી.

પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ 'એક્સપ્રેસ ટ્રિબ્યૂન'ના જણાવ્યા અનુસાર - આ દુર્ઘટના કલ્લાહ કહાર વિસ્તારમાં થઈ હતી. અહીં વરસાદ પડી રહ્યો હતો. બસ ખૂબ જ ઝડપથી બીજી લેનમાં ગઈ અને ડિવાઈડર પણ તોડી નાખ્યું. પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. 8 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા છે.

32 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ડ્રાઇવર અને બસ માલિક સામે ગુનો નોંધ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow