રાજકોટ રૈયા ગામે ભેદી સંજોગોમાં યુવકની લાશ મળી

રાજકોટ રૈયા ગામે ભેદી સંજોગોમાં યુવકની લાશ મળી

રાજકોટના રૈયા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા દિનેશભાઈ મૂળજીભાઈ વાળા નામના 40 વર્ષીય યુવાનના ભગવતીપરામાં રહેતા સસરા ભાણજીભાઈનું અવસાન થયું હતું અને જેથી પત્ની જમુનાબેન અને બંને દીકરીઓ પખવાડિયાથી ત્યાં ગયા હતા અને પોતે ઘરે એકલા હતા. ગઈકાલે પાડોશીઓને દુર્ગંધ આવતા દિનેશના ભાઈને જાણ કરી હતી અને દિનેશના નાનાભાઈ હસમુખે ઘરે દરવાજો તોડી જોતા અંદર ભાઈ દિનેશનો મૃતદેહ પડ્યો હતો. તેમજ લાકડાની આડીમાં સાડી બાંધેલી હાલતમાં હતી અને તેની નીચે ખુરશી પડેલી હતી તેમજ ત્યાં નજીકમાં જ દિનેશનો મૃતદેહ પડ્યો હતો. તેમના ભાઈ હસમુખે જણાવ્યું કે મોટાભાઈ દિનેશને નશો કરવાની ટેવ છે તેમજ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીનેસે નશાની હાલતમાં ફાંસો ખાધો હશે અને બાદમાં નીચે પડી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનું પોલીસે અનુમાન કર્યું હતું. બનાવનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow