બોર્ડે નિયમ બદલ્યો!

બોર્ડે નિયમ બદલ્યો!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મળતો હતો. આ નિયમ બોર્ડે હવે રદ કરી દેતા એસએસસી બોર્ડમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને હવે રિપીટર વિદ્યાર્થી તરીકે જ પરીક્ષા આપવી પડશે.

અગાઉ ધોરણ 10 નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને સ્કૂલમાં ફરી પ્રવેશ મળતા હોવાથી આખું વર્ષ ભણીને તેઓ ફરી પરીક્ષા શક્તા હતા, પરંતુ હવે ફેલ થયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન નહીં મળતા નાછૂટકે તેઓએ ખાનગી ટ્યૂશનમાં શિક્ષણ લઈને રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવી પડશે.

માર્ચ-એપ્રિલ, 2022માં લેવાયેલી બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 7,81,702 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 7,72,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 65.18% એટલે કે 5,03,726 વિદ્યાર્થી પાસ થયા હતા જ્યારે અંદાજિત 2,69,045 વિદ્યાર્થી નાપાસ થયા હતા.

દરેક સ્કૂલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને ફરી તે સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો નિયમ શિક્ષણ બોર્ડે મોડે મોડે રદ કરતા શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાયો છે. હવે માર્ચ-2022માં ફેલ થયેલા વિદ્યાર્થીઓએ રિપીટર વિદ્યાર્થી તરીકે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા પડશે. જોકે આ અંગે રાજ્યના શાળા સંચાલકોએ રજૂઆત કરી આ જોગવાઈ રદ કરવા માગણી કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow