બોર્ડે નિયમ બદલ્યો!

બોર્ડે નિયમ બદલ્યો!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મળતો હતો. આ નિયમ બોર્ડે હવે રદ કરી દેતા એસએસસી બોર્ડમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને હવે રિપીટર વિદ્યાર્થી તરીકે જ પરીક્ષા આપવી પડશે.

અગાઉ ધોરણ 10 નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને સ્કૂલમાં ફરી પ્રવેશ મળતા હોવાથી આખું વર્ષ ભણીને તેઓ ફરી પરીક્ષા શક્તા હતા, પરંતુ હવે ફેલ થયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન નહીં મળતા નાછૂટકે તેઓએ ખાનગી ટ્યૂશનમાં શિક્ષણ લઈને રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવી પડશે.

માર્ચ-એપ્રિલ, 2022માં લેવાયેલી બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 7,81,702 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 7,72,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 65.18% એટલે કે 5,03,726 વિદ્યાર્થી પાસ થયા હતા જ્યારે અંદાજિત 2,69,045 વિદ્યાર્થી નાપાસ થયા હતા.

દરેક સ્કૂલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને ફરી તે સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો નિયમ શિક્ષણ બોર્ડે મોડે મોડે રદ કરતા શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાયો છે. હવે માર્ચ-2022માં ફેલ થયેલા વિદ્યાર્થીઓએ રિપીટર વિદ્યાર્થી તરીકે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા પડશે. જોકે આ અંગે રાજ્યના શાળા સંચાલકોએ રજૂઆત કરી આ જોગવાઈ રદ કરવા માગણી કરી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow