PMના કહેવા પર બાંગ્લાદેશી કેપ્ટન નિવૃત્તિમાંથી પરત ફર્યો

PMના કહેવા પર બાંગ્લાદેશી કેપ્ટન નિવૃત્તિમાંથી પરત ફર્યો

બાંગ્લાદેશના વન-ડે કેપ્ટન તમીમ ઇકબાલે એક જ દિવસમાં નિવૃત્તિનો નિર્ણય પાછો લઈ લીધો છે. ઇકબાલે નિવૃત્તિમાંથી પરત ફરવાનો નિર્ણય બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવા પર લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ શુક્રવારે બપોરે તેની પત્ની સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યો હતો. તેની સાથે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજુમલ હસન અને ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા પણ હતા.

ટીકાઓથી દુઃખી થઈને નિવૃત્ત થયો
હાલમાં અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ઇકબાલની કેપ્ટનશિપની ટીકા થઈ રહી હતી. જે બાદ તમીમ ઇકબાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વન-ડે ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ભાવુક ઈકબાલે કહ્યું હતું કે, બુધવારની અફઘાનિસ્તાન સામેની મેચ મારી છેલ્લી વન-ડે હતી. તમીમે કહ્યું, 'મારા માટે આ અંત છે. મેં હંમેશા મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને હવેથી હું મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. મેં આ નિર્ણય અચાનક નથી લીધો, હું ઘણા દિવસોથી તેના વિશે વિચારી રહ્યો હતો. હું કારણ જણાવવા માગતો નથી, પરંતુ મારા પરિવાર સાથે વાત કર્યા બાદ જ મેં આ નિર્ણય લીધો હતો. 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં રમવા પહેલા તેઓ દોઢ મહિનાનો બ્રેક પણ લેશે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow