બ્રિટન-ફ્રાન્સમાં ચીનથી આવનારાઓ માટે ટેસ્ટ જરૂરી

બ્રિટન-ફ્રાન્સમાં ચીનથી આવનારાઓ માટે ટેસ્ટ જરૂરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શનિવારે ચીનને કોરોનાના સાચા આંકડા જાહેર કરવા અપીલ કરી છે. ખરેખરમાં, ચીનની સરકારે હાલમાં જ દૈનિક કેસ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. અહીં, ફ્રાન્સ અને બ્રિટને ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે.

મલેશિયામાં ચીની પ્રવાસીઓનું ટેસ્ટિંગ જરૂરી નથી
અત્યાર સુધી મલેશિયામાં ચીનથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો નથી. તેમની પાસેથી માત્ર નેગેટિવ કોરોના ટેસ્ટ રિપોર્ટ અને વેક્સિનેશન સર્ટિફિકેટ માંગવામાં આવે છે. એટલે કે ચીનમાં જ ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ મુસાફરી કરી શકે છે. આવી સ્થિતિમાં જોખમ વધી શકે છે કારણ કે ચીન ખોટા અથવા નકલી પ્રમાણપત્રો જારી કરી શકે છે. ચીની સરકાર કોઈપણ રીતે સંક્રમણના આંકડા છુપાવી રહી છે.

મલેશિયાની હેલ્થ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તેઓ માત્ર મુસાફરોનું જ સ્ક્રીનિંગ કરશે. સ્ક્રિનિંગથી જ ખબર પડે છે કે વ્યક્તિને તાવ છે કે નહીં. સ્વાસ્થ્ય મંત્રી જલીહા મુસ્તફાએ કહ્યું- જેમને તાવ છે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. જો આપણને લાગે કે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો છે, તો માત્ર તેના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

અમેરિકા કોરોનાના નવા વેરિયન્ટને ટ્રેક કરવા માટે નવી તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વપરાતા ગંદા પાણીના સેમ્પલ લેવામાં આવશે. હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ પ્રસ્તાવ મૂક્યો છે. આના પરથી ખબર પડશે કે અમેરિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ કેવી રીતે એન્ટ્રી કરી રહ્યો છે. મલેશિયાએ ફ્લાઈટ્સના ગંદા પાણીના ટેસ્ટિંગની વાત પણ કરી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow