પાકિસ્તાનમાં રહેતા આતંકી મુશ્તાક ઝરગરનું મકાન અંતે ટાંચમાં લેવાયું

પાકિસ્તાનમાં રહેતા આતંકી મુશ્તાક ઝરગરનું મકાન અંતે ટાંચમાં લેવાયું

કંદહાર વિમાન અપહરણ કેસના આરોપી અલ-ઉમર મુજાહિદ્દીનના નેતા અને મુખ્ય કમાન્ડર મુશ્તાક ઝરગરની શ્રીનગર સ્થિત સંપત્તિને ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. શ્રીનગરના ગની મોહલ્લામાં આવેલું આ ઘર 544 ચોરસ ફૂટનું છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસની કડક સુરક્ષા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝરગર બહેનોની હાજરીમાં કાર્યવાહી અંગે નોટિસ ચોંટાડી હતી.

બહેનોએ થોડો વાંધો ઉઠાવ્યો પણ તેમને ક્યાંયથી સમર્થન મળ્યું નહીં. 1999માં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પ્લેન હાઇજેક કરીને કંદહાર લઇ ગયા હતા. ત્યાં 814 મુસાફરોની મુક્તિના બદલામાં ત્રાસવાદીઓની માંગણી પર મસૂદ અઝહર અને મુશ્તાક ઝરગરને મુક્ત કરવામાં આવ્યા હતા. આતંકવાદી મુશ્તાક 1987માં મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રબૈયા સઈદના અપહરણમાં પણ સામેલ હતો.

યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કરાયો
મુશ્તાકને કેન્દ્ર સરકારે UAPAની ચોથી અનુસૂચિ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝરગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ખતરો છે. તે જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે. પાકિસ્તાને જાણીજોઈને ઝરગરનું નામ મુક્ત આતંકી યાદીમાં સામેલ કર્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow