પાણી મુદ્દે ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણા‌વ

પાણી મુદ્દે ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણા‌વ

ઈરાન હાલમાં ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. અફઘાનિસ્તાન સાથે લાંબા સમયથી ચાલી રહેલા જળવિવાદને કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈરાનનો દાવો છે કે તાલિબાન હેલમંદ નદીમાં ઈરાનના જળઅધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ અંગે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ મે મહિનામાં જ તાલિબાનને ચેતવણી આપી હતી - કાં તો અફઘાનિસ્તાન પાણી-પુરવઠા કરારનું સન્માન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે.

આ ચેતવણીના એક સપ્તાહ બાદ ઈરાન અને તાલિબાન વચ્ચે સરહદ પર ભારે ગોળીબાર થયો હતો. જેમાં બે ઈરાની ગાર્ડ અને એક તાલિબાનનું મોત થયું હતું. બંને દેશો વચ્ચે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ બાબતથી વાકેફ એક વ્યક્તિના જણાવ્યા અનુસાર તાલિબાન આ મામલે હટવા તૈયાર નથી. તેણે આ મામલે યુદ્ધની તૈયારી કરી લીધી છે. આ અંતર્ગત હજારો સૈનિકો અને સેંકડો આત્મઘાતી હુમલાખોર સરહદી વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સૈનિકો અને આત્મઘાતી હુમલાખોરોના મોરચા સાથે અમેરિકા દ્વારા છોડવામાં આવેલાં સેંકડો સૈન્ય વાહનો અને શસ્ત્રો સામેલ છે.

કેનેડા અને ફ્રાન્સના પૂર્વ અફઘાન રાજદૂત અને વોશિંગ્ટન સ્થિત થિન્ક-ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલ સાથે સંકળાયેલા ઉમર સમદે જણાવ્યું હતું કે, બંને પક્ષો પોતાને ન્યાયી ઠેરવવા માટે લડવાની તૈયારી કરી રહ્યા છે.

ઈરાનનો દાવો - ગયા વર્ષે અમારા હિસ્સાનું 4% પાણી મળ્યું
ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે 950 કિલોમીટર લાંબી સરહદ છે. બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી અંગે 1973માં હેલમંદ નદી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. પરંતુ આ સંધિનો સંપૂર્ણ અમલ થયો નથી. ઈરાનની દલીલ છે કે તાલિબાને સત્તામાં પાછા ફર્યા બાદથી પાણીનો પુરવઠો અટકાવી દીધો છે. અફઘાનિસ્તાનમાં ઈરાનના રાજદૂત હસન કઝેમી કૂમીએ કહ્યું હતું કે ઈરાનને ગયા વર્ષે તેના હિસ્સાનું માત્ર 4% પાણી મળ્યું છે. અફઘાનિસ્તાનમાં હેલમંદ નદીના કિનારે ડેમ, જળાશયો અને સિંચાઈ પ્રણાલીઓ બનાવવામાં આવી છે. તેથી પાણી આવતું નથી. અફઘાનિસ્તાનની દલીલ છે કે દેશની અંદર પાણીની અછતનો સામનો કરવા અને સિંચાઈની ક્ષમતા વધારવાનો તેનો અધિકાર છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow