બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા અને બોરદા ગામના સીમા વિસ્તારમાંથી પસાર થતી લાંકા અને માંગલા બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર સતત આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં જળ મગ્ન રહે છે. મોટા ભાગે મહા શિવરાત્રીના તહેવાર સમયે પણ શિવાલય પાણીથી ઘેરાયેલું રહે છે. ભાગ્યે જ મહા શિવરાત્રીમાં જળાશયના પાણીમાંથી શિવલિંગ બહાર આવે છે.

આ વર્ષે પણ શિવલિંગ ઉકાઇ જળાશયના પાણીમાં જળમગ્ન છે. લગભગ આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં ડૂબી રહેતું મહાદેવના મંદિરમાં મહા શિવરાત્રી દિવસે શિવલિંગનું દર્શન કરવા માટે આ વિસ્તારના ભાવિક ભક્તો હોડીના સહારે પણ મંદિરે જતા હોય છે. અને હોડીમાં બેસીને જ પાણીમાં જ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવવા હોય છે. આ વર્ષે પણ મહા શિવરાત્રીના દિવસે જળાશયના પાણીમાં ડૂબેલું મહાદેવના મંદિરે શિવલિંગના દર્શન કરવા ભક્તોની તૈયારી હોવાનું સ્થાનિક જગનસિંગભાઈએ જણાવ્યું હતું.

બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર
બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર‌

મંદિરનો આ પરચો પણ ગ્રામજનોમાં ઘણો પ્રચલિત
વર્ષો પહેલા આજુ બાજુના 7 ગામોના વડીલો અહી પૂજા અર્ચના કરતા હતા. પરંતુ શિવલિંગ ઉકાઈ જળાશયના પાણીમાં રેહેતું હોવાથી પૂજા દર વર્ષે થઈ શકતી ન હતી. જેથી ભક્તોઓએ શિવલિંગને બીજા સ્થળે સ્થાપિત કરવા અંગે ખોદકામ પણ કર્યુ હતું, પરંતુ મંદિરમાં રહેલ શિવલિંગ બહાર નહી આવતા આજથી દશેક વર્ષે પહેલા એજ સ્થળે નવા મંદિરનું નિર્માણ કરાયું હતું. અને ત્યારથી ભક્તો હોડીમાં બેસીને મહાદેવની પૂજા કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow