બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા અને બોરદા ગામના સીમા વિસ્તારમાંથી પસાર થતી લાંકા અને માંગલા બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર સતત આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં જળ મગ્ન રહે છે. મોટા ભાગે મહા શિવરાત્રીના તહેવાર સમયે પણ શિવાલય પાણીથી ઘેરાયેલું રહે છે. ભાગ્યે જ મહા શિવરાત્રીમાં જળાશયના પાણીમાંથી શિવલિંગ બહાર આવે છે.

આ વર્ષે પણ શિવલિંગ ઉકાઇ જળાશયના પાણીમાં જળમગ્ન છે. લગભગ આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં ડૂબી રહેતું મહાદેવના મંદિરમાં મહા શિવરાત્રી દિવસે શિવલિંગનું દર્શન કરવા માટે આ વિસ્તારના ભાવિક ભક્તો હોડીના સહારે પણ મંદિરે જતા હોય છે. અને હોડીમાં બેસીને જ પાણીમાં જ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવવા હોય છે. આ વર્ષે પણ મહા શિવરાત્રીના દિવસે જળાશયના પાણીમાં ડૂબેલું મહાદેવના મંદિરે શિવલિંગના દર્શન કરવા ભક્તોની તૈયારી હોવાનું સ્થાનિક જગનસિંગભાઈએ જણાવ્યું હતું.

બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર
બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર‌

મંદિરનો આ પરચો પણ ગ્રામજનોમાં ઘણો પ્રચલિત
વર્ષો પહેલા આજુ બાજુના 7 ગામોના વડીલો અહી પૂજા અર્ચના કરતા હતા. પરંતુ શિવલિંગ ઉકાઈ જળાશયના પાણીમાં રેહેતું હોવાથી પૂજા દર વર્ષે થઈ શકતી ન હતી. જેથી ભક્તોઓએ શિવલિંગને બીજા સ્થળે સ્થાપિત કરવા અંગે ખોદકામ પણ કર્યુ હતું, પરંતુ મંદિરમાં રહેલ શિવલિંગ બહાર નહી આવતા આજથી દશેક વર્ષે પહેલા એજ સ્થળે નવા મંદિરનું નિર્માણ કરાયું હતું. અને ત્યારથી ભક્તો હોડીમાં બેસીને મહાદેવની પૂજા કરે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow