બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા અને બોરદા ગામના સીમા વિસ્તારમાંથી પસાર થતી લાંકા અને માંગલા બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર સતત આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં જળ મગ્ન રહે છે. મોટા ભાગે મહા શિવરાત્રીના તહેવાર સમયે પણ શિવાલય પાણીથી ઘેરાયેલું રહે છે. ભાગ્યે જ મહા શિવરાત્રીમાં જળાશયના પાણીમાંથી શિવલિંગ બહાર આવે છે.

આ વર્ષે પણ શિવલિંગ ઉકાઇ જળાશયના પાણીમાં જળમગ્ન છે. લગભગ આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં ડૂબી રહેતું મહાદેવના મંદિરમાં મહા શિવરાત્રી દિવસે શિવલિંગનું દર્શન કરવા માટે આ વિસ્તારના ભાવિક ભક્તો હોડીના સહારે પણ મંદિરે જતા હોય છે. અને હોડીમાં બેસીને જ પાણીમાં જ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવવા હોય છે. આ વર્ષે પણ મહા શિવરાત્રીના દિવસે જળાશયના પાણીમાં ડૂબેલું મહાદેવના મંદિરે શિવલિંગના દર્શન કરવા ભક્તોની તૈયારી હોવાનું સ્થાનિક જગનસિંગભાઈએ જણાવ્યું હતું.

બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર
બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર‌

મંદિરનો આ પરચો પણ ગ્રામજનોમાં ઘણો પ્રચલિત
વર્ષો પહેલા આજુ બાજુના 7 ગામોના વડીલો અહી પૂજા અર્ચના કરતા હતા. પરંતુ શિવલિંગ ઉકાઈ જળાશયના પાણીમાં રેહેતું હોવાથી પૂજા દર વર્ષે થઈ શકતી ન હતી. જેથી ભક્તોઓએ શિવલિંગને બીજા સ્થળે સ્થાપિત કરવા અંગે ખોદકામ પણ કર્યુ હતું, પરંતુ મંદિરમાં રહેલ શિવલિંગ બહાર નહી આવતા આજથી દશેક વર્ષે પહેલા એજ સ્થળે નવા મંદિરનું નિર્માણ કરાયું હતું. અને ત્યારથી ભક્તો હોડીમાં બેસીને મહાદેવની પૂજા કરે છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow