દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ એક સમાન કાયદા લાગુ કરવાનો ટેલિકોમ કંપનીઓનો અનુરોધ

દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ એક સમાન કાયદા લાગુ કરવાનો ટેલિકોમ કંપનીઓનો અનુરોધ

દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો અને ભારતી એરટેલે સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. તેમાં OTT પ્લેટફોર્મ્સ પણ સામેલ છે. પરંતુ ટેલિકોમ નિષ્ણાંતો આ માંગ વ્યવહારિક ન હોવાનો સુર વ્યક્ત કરી રહ્યા છે. જો આ નવા કાયદાનું અમલીકરણ થશે તો તમારા માટે વોટ્સએપ, ટેલિગ્રામ સહિતની એપના ઉપયોગ માટે ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

ટેલિકોમ કંપનીઓ અનુસાર વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ, સ્કાઇપ જેવા ઑવર ધ ટૉપ પ્લેટફોર્મ અને સ્માર્ટફોન વચ્ચે વધુ અંતર રહ્યું નથી, પરિણામે તેઓ પર પણ સમાન નિયમન લાગૂ થવું જોઇએ. અત્યારે સૌથી મોટું અંતર એ છે કે દેશમાં ટેલિફોન સર્વિસ માટે કંપનીઓએ લાઇસન્સ લેવું જરૂરી છે. બીજી તરફ ઇન્ટરનેટથી સંચાલિત ઓટીટી પ્લેટફોર્મ્સને સરકાર પાસેથી કોઇ લાઇસન્સ લેવાની અનિવાર્યતા નથી.

વાસ્તવમાં, દૂરસંચાર વિભાગે તાજેતરમાં જ ‘ઇન્ડિયન ટેલિકોમ બિલ 2022’નો ડ્રાફ્ટ જારી કર્યો છે. વિભાગે તેના પર દૂરસંચાર નિયામક ટ્રાઇ પાસેથી 20 ઑક્ટોબર સુધી સૂચનો મંગાવ્યા છે. તેમાં ઓટીટીની વ્યાખ્યા બદલવા અને તેને ટેલિકોમ લાઇસન્સ હેઠળ લાવવાનો પ્રસ્તાવ સામેલ છે. અર્થાત્ જો ડ્રાફ્ટ બિલ તરીકે સંસદમાં પસાર થઇ જશે તો દરેક ઇન્ટરનેટ આધારિત કોલિંગ એપ લાઇસન્સ ફીના દાયરા હેઠળ આવી જશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow