ન્યૂટ્રલ વેન્યૂ પર ટીમ ઈન્ડિયાની મેચ

ન્યૂટ્રલ વેન્યૂ પર ટીમ ઈન્ડિયાની મેચ

આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન માત્ર પાકિસ્તાનમાં જ થઈ શકે છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતીય ટીમની જેટલી પણ મેચીઝ હશે યુએઈ, ઓમાન અથવા શ્રીલંકામાંથી કોઈ એકમાં શિફ્ટ થઈ શકે છે.

આ વખતે એશિયા કપ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવાનો છે. 13 દિવસ સુધી ચાલનારી 6 ટીમોની આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ક્વોલિફાય થયા બાદ એક ટીમ તેમની સાથે પહોંચશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે.

ભારતની મેચો ન્યુટ્રલ વેન્યુ પર યોજાશે
ભારતીય ટીમ એશિયા કપના પ્રારંભિક તબક્કામાં 2 મેચ રમશે. એક મેચ જીતવા પર ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચી જશે, જ્યાં તેને 3 મેચ રમવાની રહેશે. જો ટીમ ઈન્ડિયા પણ ફાઈનલમાં પહોંચે છે તો તે ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચે તો તે મેચ પણ ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવામાં આવશે.

ન્યુટ્રલ વેન્યુમાં ઈંગ્લેન્ડનું નામ પણ સામેલ છે
ન્યુટ્રલ વેન્યુમાં યુએઈ, ઓમાન અને શ્રીલંકા ઉપરાંત ઈંગ્લેન્ડનું નામ પણ સામે આવી રહ્યું છે કારણ કે ઈંગ્લેન્ડમાં ભારત-પાક મેચ જોવા મોટી સંખ્યામાં દર્શકો પહોંચે છે. જોકે, ઈંગ્લેન્ડને યજમાન અધિકાર મળવાની આશા ઓછી છે, કારણ કે એશિયા કપ અને આઈપીએલની મેચો સપ્ટેમ્બર દરમિયાન UAE અને ઓમાનમાં યોજાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં એશિયાનો કોઈ દેશ જ ભારતની મેચોની યજમાની કરે તેવી અપેક્ષા છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow