ટીમ ઈન્ડિયાની નોકઆઉટ મેચ

ટીમ ઈન્ડિયાની નોકઆઉટ મેચ

સાઉથ આફ્રિકાની સામે છેલ્લી મેચ હાર્યા પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં કરો યા મરોની સ્થિતિમાં આવી ગઈ છે. આ જ કારણે બાંગ્લાદેશની સામે આજે એડિલેડમાં સુપર-12ની મેચ ખૂબ જ મહત્ત્વની થઈ ગઈ છે

ટીમ ઈન્ડિયા 3 મેચમાં બે જીત અને એક હાર સાથે 4 પોઇન્ટ્સ સાથે ગ્રુપ-2માં બીજા સ્થાને છે. તો બાંગ્લાદેશની ટીમ પણ 3 મેચમાં 4 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયા સારા નેટ રનરેટના કારણે બાંગ્લાદેશની ટીમ કરતા આગળ છે.

આ મેચ જીતીને ભારત માટે સેમિફાઈનલમાં પ્રવેશવું ખૂબ જ આસાન બની જશે. આ સાથે જ બાંગ્લાદેશ હારની સ્થિતિમાં લગભગ બહાર થઈ જશે. આ મેચ પછી રવિવારે બાંગ્લાદેશની છેલ્લી મેચ પાકિસ્તાન સાથે છે અને ભારતે ઝિમ્બાબ્વે સામે રમવાનું છે.

જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો તેમનો સેમિફાઈનલનો રસ્તો મુશ્કેલ બની જશે. આ સ્થિતિમાં ભારત છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામેની જીત છતાં મહત્તમ 6 પોઈન્ટ જ મેળવી શકશે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન તેની છેલ્લી બે મેચ જીતે છે તો તેના પણ 6 પોઈન્ટ થઈ જશે. ત્યારે વધુ સારી નેટ રનરેટ ધરાવતી ટીમને ફાયદો થશે.

ભારતની હારની સ્થિતિમાં બાંગ્લાદેશની તક પણ નોંધપાત્ર રીતે વધી જશે. જો તે ભારત બાદ પાકિસ્તાનને હરાવશે તો તેને 8 પોઈન્ટ મળશે.

આ તમામ સ્થિતિઓને જોતા એમ કહી શકાય કે ભારત માટે આ મેચ એક રીતે નોકઆઉટ સમાન છે. હારની સ્થિતિમાં ભારત માટેનો રસ્તો ઘણો સીમિત થઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow