બીજી ટેસ્ટ પણ નહિ રમે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા!

બીજી ટેસ્ટ પણ નહિ રમે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા!

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશની સામે 22 ડિસેમ્બરથી મીરપુરમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં નહિ રમે. તેમનો અંગૂઠો હજુ પણ પૂરી રીતે ઠીક નથી થયો.

ક્રિકબઝે સોમવારે પોતાના એ રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે રોહિત ઢાકા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ભાગ નહિ હોય. તેમની જગ્યાએ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ જ પહેલી ટેસ્ટ મેચની જેમ બીજી ટેસ્ટ મેચમાં પણ કેપ્ટનશિપ કરશે. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટ 188 રનથી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા 2 મેચની સિરીઝમાં 1-0થી લીડ અપાવી હતી. તેમની તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારાએ સેન્ચુરી ફટકારી હતી. જ્યારે કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે મેચમાં આઠ વિકેટ લીધી હતી.

2 દિવસ પહેલા ફિટ થયા હોવાનો દાવો
તમને યાદ અપાવી દઈએ કે 2 દિવસ પહેલા જ ભારતીય કેપ્ટને પૂરી રીતે ફિટ થવાની ખબર આવી હતી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિતે બોર્ડે તેમને પૂરી રીતે ફિટ થઈ જવાની સલાહ આપી હતી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે તે પહેલી ટેસ્ટ વખતે જ ટીમથી જોડાઈ જશે. જોકે હવે તેઓ બીજી ટેસ્ટ પણ નહિ રમે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow