ટીમ ઈન્ડિયા અઢી કલાકમાં જ ઓલઆઉટ, પિચ પર સવાલ

ટીમ ઈન્ડિયા અઢી કલાકમાં જ ઓલઆઉટ, પિચ પર સવાલ

નાગપુર પછી હવે ઈન્દોરની પિચને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. એક્સપર્ટ આને એવરેજ રેટિંગ આપી રહ્યા છે. કારણ કે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માત્ર અઢી કલાકમાં જ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બેટર્સ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સની સામે ટકી શક્યા નહોતા.

હકીકતમાં, પિચને ડ્રાઇ રાખવામાં આવી અને સ્પિન ફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. પિચ પર 4.8 ડિગ્રીનો ટર્ન જોવા મળ્યો હતો. આ નાગપુરમાં 2.5 ડિગ્રી હતો. પહેલી ટેસ્ટનિ પિચને લઈને પણ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યું હતું કે નાગપુરની પિચ ટેસ્ટ રમવાને લાયક નથી.

પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર મેથ્યૂ કુહનેમને 5 વિકેટ અને નાથન લાયનને 3 વિકેટ મળી હતી. તો ટોડ મર્ફીને 1 વિકેટ મળી હતી. જ્યારે એક રનઆઉટ થયો હતો. ટૂંકમાં મોટાભાગની વિકેટ્સ સ્પિનર્સના ખાતામાં ગઈ હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow