'તારક મહેતા...' ના ટપ્પુએ પણ છોડ્યો શૉ: ખુદ પોસ્ટ કરીને જુઓ શું કહ્યું, ફેન્સને લાગશે ઝટકો

'તારક મહેતા...' ના ટપ્પુએ પણ છોડ્યો શૉ: ખુદ પોસ્ટ કરીને જુઓ શું કહ્યું, ફેન્સને લાગશે ઝટકો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવો શો છે જે છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રની પોતાની ફેન ફોલોઈંગ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘણા ફેમસ સ્ટાર્સે શો છોડી દીધો છે. હવે આ લિસ્ટમાં શોના મુખ્ય અભિનેતા ટપ્પુ એટલે કે રાજ અનાડકટ નું નામ પણ જોડાઈ ગયું છે.

રાજ અનાડકટે શોને અલવિદા કહી દીધું છે
થોડા સમયથી એવી વાતો ચાલી રહી હતી કે ટપ્પુ એટલે કે રાજ અનાડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવા જઈ રહ્યો છે. પરંતુ તેણે હંમેશા આવા સમાચારોને અફવા ગણાવીને ટાળ્યા હતા. હવે જ્યારે તેણે શો છોડ્યો ત્યારે તેણે પોતે જ એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને જાણ કરી અને લખ્યું, 'હેલો એવરી વન હવે સમય આવી ગયો છે કે હું દરેક ખબરો અને વાત પર વિરામ લગાવી દઉ અને કહ્યું કે હવું હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી અલગ થઈ રહ્યો છું'.

તમામ લોકોનો માન્યો આભાર
રાજે આગળ લખ્યું, 'મારો કોન્ટ્રાક્ટ ઓફિશ્યલ રીતે નીલા ફિલ્મ્સ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે સમાપ્ત થાય છે. આ એક સારી સફર હતી જેમાં મને ઘણું શીખવા મળ્યું. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો.

રાજે કહ્યું કે તારક મહેતાની આખી ટીમ, મારા દોસ્ત અને પરિવાર તથા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો પ્રેમ મને ખૂબ પ્રેરણા આપે છે,હું જલ્દી પાછો આવીશ, તમારા સૌનું મનોરંજન કરવા માટે, તમારો પ્રેમ અને સપોર્ટ બનાવીને રાખો.

નોંધનીય છે કે આ સિરિયલમાં પહેલા ભવ્ય ગાંધી સ ટપ્પુના રોલમાં હતો જે બાદ રાજ આવ્યો, હવે ફરી એક વાર આ શૉમાં નવા ટપ્પુ માટે શોધ ચાલુ છે. રાજે શૉ છોડવા પાછળ કોઈ મોટું કારણ તો જણાવ્યું નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે કરિયરમાં ગ્રોથ માટે આ નિર્ણય લીધો હોય શકે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow