તાંઝાનિયામાં પ્લેન તળાવમાં ખાબક્યું

તાંઝાનિયામાં પ્લેન તળાવમાં ખાબક્યું

તાંઝાનિયાના વિક્ટોરિયા તળાવમાં રવિવારે એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિમાનમાં 49 મુસાફરો સવાર હતા, જેમાંથી 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

તાંઝાનિયા પોલીસના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે વિમાન તળાવમાં ક્રેશ થયું હતું. વિમાન ઉત્તર પશ્ચિમ શહેર બુકોબામાં ઉતરવાનું હતું, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આવી જ ઘટના 5 વર્ષ પહેલા નોર્ધન તાંઝાનિયામાં બની હતી. સફારી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 11 લોકોના મોત થયા હતા.

અહેવાલો અનુસાર, બુકોબા એરપોર્ટથી માત્ર 100 મીટરના અંતરે વિમાન ક્રેશ થયું હતુ. આ વિમાન પ્રિસિઝન એર કંપનીનું હતુ, જે તાન્ઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઇન છે. કંપનીએ દુર્ઘટના બાદ નિવેદન જારી કર્યું હતું કે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાદમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow